SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org X ૧૬૪ સંવત્ ૧૯૬૯ ની સાલના વિચાર, આત્માની સાથે પરિણમેલા છે, તેને ક્ષય થવા માંડે છે. મેાહનીય પ્રકૃતિયાનુ જોર હઠાવવા પ્રયત્ન કરવામાં આવે છે, તે પ્રકૃતિયાને ઉપશમાવવામાં આવે છે પણ નિકાચિત ક પ્રકૃતિયાનુ જોર પ્રગટી નીકળે છે કે તે આત્મામાં માહ પરિણામ ઉદ્ભવે છે, તેના સામું તેના કરતાં વિશેષ આત્મવીર્ય નથી. હતું તે પાકુ પડવાનું થાય છે. મેાહ પરિણામથી કોઇ સમયે પાછું હઠવાનુ થાય છે અને પુનઃ મેાહના ઉય નરમ થતાં પુનઃ આત્માનું બળ વધે છે, અને કની પ્રકૃતિયાને હઠાવી શકવામાં આવે છે. આ પ્રમાણે પાછુ પડવુ એમ ચઢવું એમ થતાં થતાં અન્તે મેાહ ટળે છે, અને તેમજ આત્માના શુદ્ધ પરિણામની વૃદ્ધિ થાય છે. ભાવતપમાં આવું મેહયુદ્ધ થયા કરે છે અને સ પ્રકારની ઇચ્છાઓના રોધ થાય છે. દ્રવ્યતપ કરીને સવેચ્છાએના રોધરૂપ ભાવૈતપનુ લક્ષ રાખવુ અને તે પ્રમાણે વર્તવુ એ હિતકર છે. X Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only X આર્યોના પ્રેમ. આર્ટ્સમાં પૂર્વ અપૂર્વ પ્રેમ હતા. આર્યોંમાં અદ્યપર્યન્ત અતિથિ સત્કાર જે કંઇ દેખવામાં આવે છે તેમાં શુદ્ધપ્રેમની ઝાંખી અવમેધાય છે. જેના પર પોતાના પ્રેમ હોય છે તેનું રક્ષણ કરવા તૈયાર થઇ શકાય છે. ક્રૂર એવા સિંહ પેાતાનાં બચ્ચાંઓનું પ્રેમથી રક્ષણ કરે છે. જો પેાતાનાં બચ્ચાંની પેઠે અન્ય પશુઓ પર તેને પ્રેમવતે તે અન્ય પશુ વગેરેનું ભક્ષણ કરવા પ્રવૃત્તિ કરી શકે નહિ. જંગલી મનુષ્યા અન્ય પ્રાણીએને મારી નાખે છે પણ પોતાના કુટુંબનુ પ્રેમના લીધે રક્ષણ કરે છે. જે દેશના વા જે જાતના પ્રેમ હેાય છે તે દેશ વા જાતનુ રક્ષણ કરવા પ્રવૃત્તિ થાય છે. જેના પર પ્રેમ હોય છે તેના સંબધી જેટલું અને તેટલું કરવામાં આવે છે. પેાતાના આત્માને પ્રેમ હોય છે તેવા સજીવા પર જો પ્રેમ પ્રગટી જાય તા કાઇનુ અશુભ કરવાને માટે મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ થઇ શકે નહિ. સર્વ જગતને પોતાના પ્રેમમાં વિલસતું દેખવામાં જ્યારે આવે છે, ત્યારે સર્વવ્યાપી પ્રેમ થયે એમ અનુભવી શકાય છે અને એવા સવ વ્યાપીપ્રેમથી પોતાના આત્મામાં ધ્યાના સાગર જે ઉલ્લુસે છે તે સ્વયં માત્મા અનુભવી શકે છે. પ્રેમ સૂક્ષ્મ છે, તે આત્મામાં રહે છે, સર્વવ્યાપી
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy