SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો. શ્રીમદ્દ ઉપાધ્યાયે આપેલા ઉપદેશ, ग्राह्यं हितमपि बाला दालापैदुर्जनस्य न द्वेष्यम् । સચવાવેઃ પારા, પાશાનામાં શેયઃ ॥ ૪૦ ॥ ૫. સાર. અનુમવાધિન્નાર For Private And Personal Use Only ૫૬૧ આત્માર્થી જતાએ બાળક થકી પણ હિત ગ્રહણ કરવું. પોતાનુ આત્મ હિત થાય એવુ· વચન કદાપિ બાળક કહે તે! તેવુ વચન પણ ગ્રહણ કરવું. સત્યહિતને ભંડાર આખા જગતમાં ભર્યાં છે. આપણે પેાતાની દૃષ્ટિના અનુસારે હિતને દેખી શકીએ છીએ. આત્માનુ હિત થાય તે જ માર્ગ ગ્રહણ કરવા માટે આપણને મનુષ્ય ભવ મળ્યેા છે. દુનિયામાં નામરૂપથી હિત નથી. અનવાની દૃષ્ટિએ જે હિત છે તે નાનીની દૃષ્ટિમાં અહિત જણાય છે. દ્રવ્યહિત; ભાવહિત, વ્યવારહિત, નિશ્ચયહિત, લાકિકહિત, લેાકેાત્તરહિત, નિમિત્તહિત, ઉપાદાનહિત વગેરે અનેક પ્રકારે હિત છે. સચિદ્ અને આનન્દ સ્વભાવથી વા જ્ઞાનદર્શન અને ચારિત્રથી હિત અભિન્ન છે, એવુ હિત ગમે ત્યાંથી લેવું. પોતાના આત્માને હિતમય જાણ્યા વા દેખ્યા વિના સનું ખ હિત, અનેક અપેક્ષાથી દેખી શકાતું નથી, અને કરી શકાતું નથી, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય તેજ હિતરૂપ છે, અને પર્યાયાચિક નયની અપેક્ષાએ આત્માના ગુણા તે હિતરૂપ છે. આત્મામાં તિરાભાવે રહેલા હિતને પ્રગટાવવાની જરૂર છે. આત્મહિતના આવિર્ભાવ કરવા માટે અનેક નિમિત્ત કારણેા અવલખવાં અને આત્માનુ હિત કરવું. આ પ્રમાણે યશોવિજયજી ઉપાધ્યાયે સૂચના કરી છે. દુતાના આલાપ વડે કદિ દ્વેષ ન કરવા જોઇએ. દુર્જના પોતાના સ્વભાવ પ્રમાણે વર્ત્યા કરે છે. તેના ઉપર દ્વેષ કરવાથી તેઓ સુધરતા નથી, પરન્તુ દ્વેષ કરવાથી પોતાના આત્માનું અહિત થાય છે એતા અનુભવથી જોતાં સર્વને સત્ય જણાય છે. પ્રકાશના પ્રતિપક્ષી અન્ધકાર તેમજ જ્યાં ત્યાં સજ્જતાના પ્રતિપક્ષી દુર્જના હેાય છે. દુતા કિંદ કાઇનું સારૂં' સહન કરી શકતા નથી. તેઓના સ્વભાવ કાગડાની પેઠે દોષરૂપી ચાંદા શેાધવાને હાય છે. શ્રીમદ્ ઉપાધ્યાયે અધ્યાત્મમાં પ્રવેશ કરનારાઓને શિખામણ આપી છે કે અધ્યાત્મ જ્ઞાનીઓએ દુર્જનાના આલાપાવડે તેનાપર દ્વેષ ન કરવા. ઉપાધ્યાયના સામા પણ દુર્જતા હતા. તેઓએ દુર્જનાના ઉપર દ્વેષ કર્યાં નથી તે પ્રમાણે વર્તીને તેઓએ આપણને ભવિષ્ય વારસે આવી ઉત્તમ શિખામણના આપી ગયા છે. ઉપાધ્યાય કયે છે કે સત્ય 71
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy