________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૪૧
અનેક પ્રકારના અધિકાર પ્રમાણે કાર્યો કરતાં છતાં આખા દિવસમાં એક અશુભ વિચાર ન આવે તે સંબંધી ખાસ ઉપગ રાખવાની જરૂર છે.
પિતાના આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે. આત્માને વિશ્વાસ રાખીને ઉત્સાહ અને ખંતથી હળવે હળવે આગળ વધવાની જરૂર છે.
પિતાનામાં શુદ્ધધર્મની શ્રદ્ધા છે તે છેવટે આખી દુનિયા પિતાની તરફ ઝૂકાવાની. પિતાના ગુણોને વિશ્વાસ ધારણ કરીને આત્માના સગુણ પ્રગટાવવા ધીમી ધીમી પણ ઉત્સાહ અને ખંતથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે.
વાસનાઓને તાબે થવું, મન, વચન અને કાયાની અવ્યવસ્થાસ્થિતિ ઇત્યાદિથી આત્મશક્તિ ખીલતી નથી અને ખીલેલી હોય છે તે તેના પર આવરણ આવે છે. અશુભેરછાઓને મનમાં ન પ્રગટ થવા દેવી એજ આક્તરિક શીયલવત અવબોધવું.
દીક્ષા લેતી વખતે અને મૃત્યુ વખતે જે વૈરાગ્ય પ્રગટે છે તે વૈરાગ્ય જે સતત રહે તે આત્મકલ્યાણમાં વાર લાગે નહિ. મોહગર્ભિત વૈરાગ્ય અને દુઃખગર્ભિત વૈરાગ્યથી મહાન એવો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દરરોજ વધતો જાય છે. દુઃખના પ્રસંગોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જાગ્રત્ રહે છે અને આશ્રવના ઠેકાણે સંવરની પ્રાપ્તિ કરાવે છે.
શુભવિચારે એ ઉદયની નિશાની છે, શુભ વિચારે હેય તો શુભાચાર પ્રગટવાને. એમ પૂર્ણ વિશ્વાસ ધારણ કરવો. અશુભવિચારે ખોટા છે અને શુભ વિચારે સારા છે એવો વિવેક જ્યારથી પ્રગટયો ત્યારથી આજતિ ક્રમમાં દાખલ થયા એમ સમજવું.
પ્રભુતાને પ્રારભ અણુસમાન છે. પણ તે વડબીજમાં રહેલા વડની પેઠે પ્રભુતાવાળે છે. એ આત્મવિશ્વાસ ધારણ કરીને પ્રારંભમાં અણુ સમાન ભાસતા એવા કાર્યમાં પ્રવૃત્તિ કરવી. | પ્રવૃત્તિ વિનાને કોઈ નિવૃત્તિધર્મ દુનિયામાં ટકી શકતા નથી. પ્રવૃત્તિ ૫ વાડ વિના નિવૃત્તિ રૂપ ક્ષેત્રની સુરક્ષા થઈ શકતી નથી. પ્રવૃત્તિ વિના નિવૃત્તિની પ્રાપ્તિ થતી નથી; એમ કહેવામાં અનેક આશા વ્યવહારની અપેક્ષાએ હૃદયમાં રહે છે.
For Private And Personal Use Only