________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ધાર્મિક ગદ્યસંગ્રહ.
आत्मज्ञाननी ज्योतिमां, सदा रहे आनंद । बुद्धिसागर ज्ञानीने, नडे न दुनिया फंद ॥१॥ प्रारब्धे जे जे थतुं, साक्षी त्यां निज होय । बुद्धिसागर ज्ञानीने, सहज भाव अवलोय ॥२॥ प्रारब्धे करणी थती, नहि करणीय विचार । बुद्धिसागर ज्ञानीनी, दशा अलौकिक धार ॥३॥ માત્મામાં તૃપ્તિ થતાં, જે ન મારા શT बुद्धिसागर ज्ञानीने, सहजानंद हमेश ॥ ४ ॥ लेवु नहीं देवू नहीं, जगनी साथ लगार । बुद्धिसागर ज्ञानीने, सहजभाव निर्धार ॥ ५ ॥
અધ્યાત્મ દષ્ટિએઆત્મામાં લોકાલોક સમાઈ જાય છે. આત્મામાં શુભ પરિણામ રૂપ દિવ્ય ભાવનો આવિર્ભાવ તે અધ્યાત્મદષ્ટિએ સ્વર્ગ છે. આત્મામાં અશુભ પરિણામને આવિર્ભાવ તે અધ્યાત્મ દષ્ટિએ નરક છે. શુભ પરિણામ અને અશુભ પરિણામ એ બે સ્થૂલ જગમાં સુખ દુઃખના હેતુભૂત છે. શુભ પરિણામ ને અશુભ પરિણામથી ભિન્ન એવા શુદ્ધ પરિણામમાં મોક્ષ છે. આત્મામાં શુદ્ધ પરિણામ રૂપે મોક્ષને અધ્યાત્મ દૃષ્ટિએ આવિર્ભાવ થતાં શુભાશુભમાં કંઈ કર્તવ્ય જણાતું નથી અને કર્તવ્યની બુદ્ધિએ શુભાશુભની આચરણ થતી નથી. આત્મસંતુક મુનિને ઈન્દ્ર વરદાન માગવા કહે તો તેને કંઈ વરદાન માગવાનું કર્તવ્ય જણાતું નથી. કોઇનું અશુભ કરવાનું પણ તેને રહેતું નથી; કારણકે શુભાશુભમાં ચિત્ત દેવું એ તેને ગમતું નથી. આવી આત્મજ્ઞાનયોગીની દશા વતે છે તેને અજ્ઞાનીઓ બહિથી દેખી જાણી શકે નહિ. અજ્ઞાનિની દષ્ટિમાં જ્ઞાનયોગીની દશા દેખાય જ નહિ. જ્ઞાનયોગથી સંતુષ્ટ થએલો આત્મા પૂજવા ધ્યાવવા યોગ્ય છે. તેમનું જ્ઞાનસ્વરૂપ આરાધવા તથા પ્રાપ્ત કરવા રોગ્ય છે.
આત્મજ્ઞાની અને આત્મ સંતુષ્ઠને કંઈ કર્તવ્ય રહેતું નથી, તેનું કારણ નીચે મુજબ છેઃ
For Private And Personal Use Only