SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાર્મિક ગદ્યસ ગ્રહ. પણ તેમાં તે પ્રતિબન્ધ પામતા નથી. જ્ઞાનયેાગમાં આપચારિક પર્યાયાનુ અવ મમત્વ નહિ ભાસવાથી ભલે શરીર વાણીથી પ્રસંગેાપાત્ત જે જે કરાય પણ તેમાં પ્રતિબન્ધ ક્યાંથી હોઇ શકે ? અર્થાત ન હોઇ શકે. આવી જ્ઞાનયોગ દશામાં જે જે આંખે દેખાય છે તે તે અન્તર્ની આંખે' જુદું દેખાય છે અને ભિન્નત્વના તેમાં અનુભવ થાય છે. આવી દશાથી દુનિયાની દૃષ્ટિએ જ્ઞાનયોગી બાહ્ય જગત્માં જે રૂપે છે, તે રૂપે તે અન્તર્ની ષ્ટિએ નથી એમ દિવ્ય જ્ઞાનીએ જાણી શકે છે. ખાઘુના સાનુકૂલ વા પ્રતિકૂળ સયેાગામાં, ખાવામાં, પીવામાં, રહેવામાં, અનેક પ્રકારની શારીરિક ક્રિયાઓ કરવામાં આત્મજ્ઞાનીને પ્રતિબન્ધ નથી. જે કંઇ કરે છે, ભાગવે છે, તેમાં હું એવી અહુ વૃત્તિથી આત્મજ્ઞાની પ્રતિબન્ધમાં પડતા નથી. જ્ઞાનયેાગી કર્મ યાગના અમુક આચારામાં હું એવી અહુ વૃત્તિથી ખાતા નથી. તેણે चाले औकरे, ज्ञानी सबही अचंभ, व्यवहारे व्यवहारसु, निञ्चयमें વિથમ આત્મજ્ઞાની શુભ કર્મો કરે છે તેમાં તે “ મળ્યે ધાતે मा फलेषु कदाचन આવી પ્રવૃત્તિ કરતા હોવાથી શુભ કર્મો પ તેને નડતાં નથી, કારણ કે તે અન્તર્થી શુભાશુભવૃત્તિના પ્રતિબન્ધથી રહિત છે. આત્મામાં સતુષ્ટ થએલા જ્ઞાનયાગીને કર્તબ્ધ ક’ઇ બાકી રહેતું નથી. ૩૭ यस्त्वात्मरतिरेवस्या दात्मतृप्तश्च मानवः । आत्मन्येव संतुष्ट स्तस्य कार्य न विद्यते ॥ ८ ॥ अध्यात्मसार ॥ For Private And Personal Use Only જે મનુષ્ય આત્મરતિ છે, આત્મ તૃપ્ત અને આત્મામાંજ સંતુષ્ટ રહે છે તેને કઇ કર્તવ્ય કર્મ બાકી રહ્યું હોય એવું જણાતું નથી. આત્મજ્ઞાની આત્મરતિને જગતનું તથા જગમાં પાલિક કાર્યાંનુ પ્રયાજન નથી. આત્મજ્ઞાની જે નિર્વિકલ્પ દશામાં જાગે છે તે દશામાં જગત્ ઉંધે છે, કારણકે જગતને તે દશાને અનુભવ નથી. આત્મજ્ઞાની જે વિકલ્પ સંકલ્પ દશામાં ઉંધે છે તે દશામાં વિકલ્પ સંકલ્પવાળુ જગત્ જાગે છે. વિકલ્પ સૌંકલ્પ એ મનના ધર્મ છે. મનના ધર્મથી પેલીપાર રહેલુ એવુ આત્માનું શુદ્ધ ધર્મ સ્વરૂપ છે. તેમાં રમણતા કરનારને કંઇ જગતનું પ્રયોજન રહેતું નથી. કર્મયાગનું પ્રત્યેાજન ખરેખર તેવા આત્મજ્ઞાનીને ક્યાંથી હોય ?
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy