SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૮૬૮ ની સાલના વિચારે. પર સાત નય અને સંસ્તભંગીને વિચાર કરતાં પૂર્વધર થાકી ગયા વિકલ્પજ્ઞાન કરતાં વિકલ્પદશાને ત્યાગ આવી શકતો નથી. વિકલ્પદશાના કરતાં નિર્વિકલ્પદાને જુદા પ્રકારો અટવાય છે. રાગના અધ્યવસાય જેમાં ન પ્રગટે એવી દશાને નિર્વિકલ્પદ કહેવામાં આવે છે. ચારિત્રની અપેક્ષાએ નિર્વિકલ્પદશાનું આ વાહણ અવધવું. સાત નિયોના વિચારવડે જે વિકલ્પજ્ઞાન થાય છે તેના કરતાં ભિન્ન પ્રકારનું અને શુદ્ધ એક આત્માના સ્થિરયાગરૂપ જે જ્ઞાન વતે છે તેમાં નિવિકલ્પદશાનો અનુભવ થાય છે. ગશાસ્ત્રમાં કથેલ ઉન્મનીભાવ આદિસાધ્ય નિર્વિકલ્પદશા છે. નિર્વિકલ્પ દશાને અનુભવ આવ્યા વિના નિવિકલ્પસુખનો અનુભવ આવતો નથી. ઉન્મની ભાવને અનુભવ ખરેખર પ્રગટે છે ત્યારે નિર્વિકલ્પજ્ઞાન દશાનું સુખ અનુભવાય છે. આત્માના શુદ્ધ ધર્મમાં ઉપયોગધારા સતત વહેવરાવ્યાથી આત્મામાં સ્થિરતા ગુણ ઉત્પન્ન થાય છે. આત્મામાં શુદ્ધાધ્યવસાય પ્રગટાવવાથી ચારિત્ર મોહનીય ટળતી જાય છે. આત્માના શુદ્ધોધ્યવસાવડે ચારિત્રમાં જીવી શકાય છે. મન વચન અને કાયાના યોગને આત્માને શુદ્ધ ચારિત્ર ધર્મ સમ્મુખ કરવાથી મન વચન અને કાયાના વેગમાં પરિણમેલું આત્મવીય પિતાના શુદ્ધ ચારિત્ર ધર્મમાં પરિણામ પામતું જાય છે. આત્માના શુદ્ધ ચારિત્ર ધર્મમાં રમણતા કરવાથી આત્મવીર્યની ચંચળતા ટળે છે અને નિર્ભય, ઉત્સાહ, અખેદ, અદેવ આદિ ભાવે આત્મવીર્ય સ્થિર થતું જાય છે. મહના પરિણામ પ્રગટવાથી આત્મવીર્ય ચંચલતા થાય છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલું વીર્ય સ્થિર કરવાની ઉત્તમ કુંચી એ છે કે મનમાં રાગદ્વેષના પરિણામ ઉત્પન્ન ન થવા દેવા. મેહના પરિણામવડે મન વચન અને કાયા ચોગની ચંચળતા થાય છે અને તેથી શરીરમાં આત્માની પ્રદેશ ચંચલ થાય છે, અને તેથી આત્માના આનન્દને પ્રાદુર્ભાવ થતું નથી. આત્માનું વીર્ય પિતાના સ્વભાવે સ્થિર કરવું હોય તે મોહવડે મન વચન અને કાયાને યોગની ચંચલતા થાય છે તે વારવી જોઈએ. મનમાં રાગની પરિણતિ નહિ ઉત્પન્ન કરવી. સારાંશ કે રાગદ્વેષથી મનને દૂર રાખવાથી વચન અને કાયાને ગોગની For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy