SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૮૬૦ ની સાલના વિચારે. ૫૦૫ ના યથાશક્તિ પંચાચારની આરાધનામાં દરરોજ અપ્રમત્તપણે રહેવું. પાંચ પ્રકારના યોગથી આરાધનામાં તલ્લીન થઈ જવું. આત્માની નિર્વિકલ્પદશામાં રહેવાય અને નામરૂપનો અધ્યાસ ટળી જાય એવી રીતે ધ્યાનમાં લયલીન રહેવું. નિર્વિકલ્પદશામાં રહેવા માટે કઈ પણ પ્રકારની વાસનાને પ્રગટ થતી જ વારવી. દુનિયાના અશુભ વિચારોની પિતાના પર અસર ન થાય તેમજ દુનિયા નિન્દા કરે તેની પિતાના આત્માપર અસર ન થાય એવી પિતાની આત્મદશા પ્રગટાવવી. સદ્વિચારો, સદ્ગુણે અને સદાચારોવડે. પિતાની જીંદગીને ઉત્તમ બનાવવા દરેજ પ્રયત્ન કરવો જોઈએ. સદિચારેવડે પિતાના આત્માને ઉત્તમ બનાવવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. સદિચાવડે પિતાના આ ભાને ઉત્સાહિત કરવાથી સદાચારનું જીવન દઢ અને અમૃતરસમય બને છે અને તેથી અન્ય મનુષ્યને વિના બેલે સુધારી શકાય છે. ગમે તેવા વિપત્તિના પ્રસંગમાં પણ સદિચારેવડે પિતાના આત્મામાં ઉત્સાહ પ્રગટાવ અને અન્તરમાં સદિચારેને પ્રવાહ વહેરાવ કે જેથી ચિંતા, શોક, લેશવડે હૃદયને ઘાત ન બની શકે. પિતાના આત્મામાં ઉત્સાહને અમૃતરસ સદાકાલ વહેરાવે છે જેથી પ્રવૃત્તિમાર્ગના યોગી થવામાં ચિત્ત વિક્ષેપ રહે નહિ. સદ્વિચારવડે ઉત્સાહવૃદ્ધિ કરવામાં આવે છે તે સદાચારમાં દરરોજ આગળ વધી શકાય છે અને આનન્દામૃતના પાનથી મુખની પ્રસન્નતા રક્ષી શકાય છે. દુઃખના પ્રસંગમાં કંટાળી ન જવું અને દુઃખની અવસ્થા ટળી જશે એવી દઢ ઉત્સાહ-ભાવના કાયમ રાખીને પોતાના અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાનાં હોય તે કરવાં અને તે બાબતને ઉપયોગ રાખ એજ જીદગી સુધારવાને મુખ્ય ઉપાય છે. સદિચારેના ઉત્સાહ વડે ગમે તેવી વિપત્તિના સમયમાં પણ પિતાની જીદગી પોતાના હાથે સુધારી શકાય છે એ દૃઢ નિશ્ચય રાખી ઉપસર્ગો સહીને શુભન્નતિમાં આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ, For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy