________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૦૬૪ ની લાલના વિચારે.
૫૦૧
કરવાની તીવ્રછા વતે છે અને તેનાં સાધનની પૂર્ણતા કરવા પ્રયત્નો સેવાય છે. પ્રારબ્ધથી જે વેદાય છે તે તરફ આસક્તિ નથી તેથી બાહ્યમાં મનને ગમતું નથી અને આગળ ઉપર મનને બાહ્યમાં નહિ ગમે તેમ હાલને અનુભવ જણાવે છે. ઉચ્ચ ઉર્ધ્વ સંયમ સ્થાનના અધ્યવસાય વડે આગળ આત્માની દશાને શુદ્ધાનુભવ કરવા ઘણું પુરણાઓ વારંવાર હૃદયમાં થયા કરે છે. અને હવે ઉપરના ગુણસ્થાનકના શુભ અધ્યવસાયોની ઝાંખીનો અમૃતસ્વાદ આસ્વાદીને અમર બનવા અન્તમાં પૂર્ણ દાઝ રહે છે.
વિનયાદિ ગુણો વડે ગ્યતા પ્રાપ્ત કર્યા વિના અન્યની પાસેથી સદગુણો વા હૃદયની અમુક વિદ્યા પ્રાપ્ત કરી શકાતી નથી. અન્યના હૃદયને પરિપૂર્ણ સંતોષ આપ્યા વિના તેનું હૃદય પિતાના પર ઉતારી શકાય નહિ. સર્વસ્વાર્પણ કર્યા વિના અન્યરૂપે પિતાનાથી થઈ શકાય નહિ, તેથી કૃત્રિમતાને ત્યાગ કર્યા વિના કદિ પિતાની ખરી ઉન્નતિ કરી શકાય નહિ.
જેવી સ્થિતિ ઈરછી હોય તેવો સંયમ ધારણ કરીને તેવી સ્થિતિ પ્રાપ્ત કરવી એજ અન્યત્યાયરૂપ મરણ અને સ્વગ્રાહ્ય જીવન અવબોધવું. આત્માની ઉચ્ચ દશામાં તન્મય થઈને જીવવું એટલે બાહ્ય દશાથી મરવું એવું અર્થાપત્તિથી આવી જાય છે. પિતાના હૃદયને જે વચને અસર કરે છે તે વચને પિતાના માટે જીવતાં છે એમ જાણીને તેનું રહસ્ય હૃદયમાં ઉતારવું એજ અન્ય વિપત્તિઓને નાશ કરવા માગે છે. પિતાનું જીવન પિતાને જે અંશે ઉચ્ચ લાગતું હોય છે, તેમાં પણ આગળ ચઢેલા પુરૂષની દ્રષ્ટિએ તે સુધારણું કરવાની બાકી રહે છે. આત્માના જ્ઞાનાદિ ગુણોની સુધારણા કરવાનું કાર્ય દરરોજ કાયમ રહે છે માટે ઉધમની નિવૃત્તિ કરવી યોગ્ય નથી.
હદય લેવું અને દેવું એ પરસ્પરની પેગ્યતાએ મળતા ગુણો અને સ્વભાવ વડે બની શકે છે. કોઈના હૃદયમાં ઉતર્યા વિના તેની કિસ્મત આંકી શકાતી નથી. જે મનુષ્ય હેદયમાં ઉતરે છે તે મનુષ્યો ખરો હીર પારખવાને શક્તિમાન થાય છે. હૃદય અને આચારોના તફાવતને જાણવો. એજ પિતાની ઉ&ાતિ કરવાને મૂળ મંત્ર છે. કેટલું આગળ વધાયું અને કેટલું બાકી છે આ બાબતને દરજ વિચાર કરવાથી આત્માની ઉત્ક્રાંતિમાં આગળ વધી શકાય છે,
For Private And Personal Use Only