SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધામિક ગદ્યસંગ્રહ, પ્રયોજનવાળો થતો નથી પણ રત્નના વ્યાપારને જેઓએ અધિકાર પ્રાપ્ત કર્યો નથી એવા કિરિયાણાના વ્યાપારીઓને કિરિયાણાની વ્યાપાર ક્રિયા ગુણકારી થાય છે, શર્મયોગનું પાત્ર. आवश्यकादिरागेण, वात्सल्याद्भगवद्गिराम् । पामोतिस्वर्गसौख्यानि, न यातिपरमपदम् ॥४॥ अध्यात्मसार॥ આવશ્યકાદિના રાગ વડે અને ભગવદ્ વાણી પર પ્રેમ ધારણ કરવાથી મનુષ્ય સ્વર્ગ સુખને પામે છે, પણ પરમપદ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. આવશ્યકાદિના રાગથી પુણ્યને બંધ થાય છે. આવશ્યકાદિકિયા પર રાગ ધારણ કરવાથી શુભાનુબધુ અનુષ્ઠાન થાય છે. ભગવંતની વાણી પર રાગ ધારણ કરવાથી શુભાસ્ત્રવને બંધ થાય છે, આદિ શબ્દથી પ્રતિલેખન, પ્રભુપૂજા, દેવદર્શન, તીર્થયાત્રા અને સાધમ્ય વાત્સલ્ય વગેરેથી સ્વર્ગ સુખની પ્રાપ્તિ થાય છે એમ અવબોધવું. આવશ્યકાદિ ક્રિયાયોગ તે કર્મચાગ છે. કમાગ કરતાં જ્ઞાન અનન્ત ઘણે ઉત્તમ છે, ધાર્મિક કર્મ કરતાં અશુભ રાગ દ્વેષની પરિણતિ જાગ્રત થાય છે તો સંસારમાં બંધાવાનું થાય છે. આવશ્યકાદિ ક્રિયાવિધિયોગના મતભેદે કલેશની ઉદીરણ કરીને પરસ્પર વિવાદ કરવામાં આવે છે તો સંવરની ક્રિયાઓ પણ આમ્રવરૂપે પરિણમે છે, એમ ખાસ લક્ષમાં રાખીને ભિન્ન ભિન્ન ગચ્છભેદે ભિન્ન ભિન્ન આવશ્યકાદિ વિધિની, આચાર વગેરેની માન્યતાની તકરારમાં ન પડતાં ચિત્તની આત્મામાં લીનતા થાય એ ઉદ્દેશ ધ્યાનમાં રાખી ક્રિયાઓ કરવાની જરૂર છે. આવશ્યકાદિ ક્રિયાઓ કરનારાઓમાં હઠ, કદાગ્રહ ન હોવો જોઈએ. ક્રિયા કરનારાઓમાં છળ, કપટ, પ્રપંચ, સ્વાર્થ, નિન્દા, ઈર્ષ્યા અને આશા વગેરે દોષો હોય છે તો શુભાનુબંધ કરનારી પણ ક્રિયાઓ થઈ શકતી નથી. જ્યાં ત્યાં ક્રિયાવાદીઓમાં નિન્દાની ટેવ વિશેષ હોય છે. નિન્દાની ટેવ હોય છે ત્યાં સુધી ક્રિયાની સફળતા થતી નથી. જેનામાં મધ્યસ્થ ગુણ અને ગુણાનુરાગ એ બે ગુણો હોય છે તે કમીયોગથી ઉપયુકત સ્વ ફલ મેળવી શકે છે. ક્રિયાઓ કરનારામાં માર્ગનુસારીના ગુણ હોય છે, તે તેઓની ક્રિયા ભાનુબંધ કરનારી થાય છે. અન્ધશ્રદ્ધા અને શાળા પ્રવાસી ભાભી બાલાજી દિયામાપી &ાભ લ મણ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy