SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાર્મિક ગદ્યસંગ્રહ, ક્રિયાઓ કંઈ અતિ પ્રોજન વાળી હોતી નથી; કારણકે ક્રિયાઓ કરીને જેની સિદ્ધિ કરવાની છે તેને તેઓને નિશ્રયમાં એકલીન ચિત્તથી થાય છે, ધાર્મિક ક્રિયામાં ચિત્ત રમાવીને તે વડે પરભાવમાં થતી મનની રમણુતા વારવાની હોય છે. ધાર્મિક ક્રિયાનું પ્રજન ખરી રીતે અવકીએ નિશ્ચય શુદ્ધાત્મ સ્વરૂપમાં ચિત્તની લીનતા કરવાને માટે હોય છે. ગાય ભેંસને ઘાસ ખવરાવવાનું પ્રયોજન ઘતની સિદ્ધિ અર્થે છે. ધૂતની સિદ્ધિ થતાં ઘાસનું પ્રયોજન રહેતું નથી. ઘટની સિદ્ધિ અથે ચક્રભ્રમણ વગેરે ક્રિયા ની જરૂર રહે છે પણ ઘટપૂર્ણ સિદ્ધ થતાં ચક્રભ્રમણ વગેરે ક્રિયાઓ તેજ ઘટને અથે પશ્ચાત પ્રજનવાળી હોતી નથી તદત અત્ર પણ આમ ગુગુમાં ચિત્ત લીન થતાં તેના માટે ખાસ તે વખતે નિમિત્ત કારણરૂપ ગણતી ક્રિયાઓ અતિ પ્રોજનવાળી ગણાતી નથી. આત્માને ગુણોમાં ચિત્તને રમાવવા માટે પ્રયમાભ્યાસમાં નિમિત્ત કારણરૂપ ક્રિયાઓની આવ શ્યકતા સિદ્ધ કરે છે પણ પશ્ચાત નિશ્ચયૅકલીનતારૂપ કાર્ય થતાં નિમિત્ત કારણુરૂપ ક્રિયાઓ અતિ પ્રજનવાળી રહેતી નથી, જ્ઞાનયોગ એ નિશ્ચય માર્ગ છે. જ્ઞાનયોગ વડે આભામાં રમણુતા કરવી, તત્ત્વનું ચિંતવન કરવું, ઇત્યાદિ નિશ્ચય જ્ઞાનયોગ છે. એ જ્ઞાન વડે ચિત્તની એકાગ્રતા થતાં કર્મયોગ રૂપ ક્રિયાઓનું અત્યંત પ્રયોજન રહેતું નથી. જે ક્રિયાઓનું નિશ્ચકલીન ચિત્તવાળાઓને અત્યંત પ્રયોજન રહેતું નથી તેજ ક્રિયાઓ વ્યવહાર દશામાં રહેલાઓને અત્યંત ગુણ કરનારી થાય છે. જ્ઞાનયોગ વડે ચિત્તની એકાગ્રતા જેઓની થતી નથી તેવાઓને કર્મચગભૂત ક્રિયાઓ અત્યંત હિતકારી થાય છે. જ્ઞાનયોગ એ ઉચ્ચ યોગ છે, તેમાં જેઓનો અધિકાર નથી તેવા બાળજીવોને ક્રિયાગ ગુણાવહ થાય છે. પ્રતિલેખના આવશ્યક વગેરે ક્રિયાઓથી બાળજીવોને ગુણ થાય છે. જેને જે જે અધિકારે જે જે ગની આરાધના કરવાની હોય છે તેજ તેઓને ગુણકર થાય છે. નાનીઓની સૂક્ષ્મદષ્ટિ થઈ હોય છે તેથી તેઓ જ્ઞાનગ વડે ચિત્તની સ્થિરતા કરી શકે છે પણ સ્કૂલ બુદ્ધિવાળા કાગના અધિકારીઓને તે ક્રિયાઓ કરવાની હોય છે, કારણ કે જ્ઞાનયોગની અપ્રાપ્તિએ તેઓ નિમિત્ત કારણભૂત ધાર્મિક ક્રિયાથી કઈક શુભ ધમને આરાધી શકે છે. જ્ઞાનયોગીઓ કે જેઓ નિશ્ચયમાં એકલીન ચિત્તવાળા થએલા હોય છે તેઓ તે રનના વ્યાપારીઓ ગણાય છે અને વ્યવહાર દશામાં રહેલા તે ફયા જેવા હોય છે, રનના વ્યાપારીઓને ટિરિયાણાને વ્યાપાર અત્યંત 5 For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy