SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૪ સંવત ૧૬૬૮ ની સાલના વિચારે. આત્મા પિતાના શુદ્ધ ધર્મને ભૂલે છે. દેહાધ્યાસ દૂર કરીને સર્વ બાબતમાં તટસ્થ રહીને આત્મા પ્રવૃત્તિ કરે તે તેને પોતાની શક્તિનો અનુભવ આવી શકે છે. સત્યથી પરિપૂર્ણ અને સત્ય સુખમય પિતેજ છતાં અન્યત્ર ભટકવાની મેહ વૃત્તિ દૂર કરાતી નથી એ કેટલું બધું અજ્ઞાન ! ! ! સત્યની અસંખ્ય વ્યાખ્યાઓ કરવામાં આવે તે પણ સત્ય રૂપ આત્માનું પૂર્ણ કથન કરી શકાય નહિ. સત્તાએ સત્ય પરમાત્મારૂપ વાચક, છેતા, લેખક આદિ સર્વ છે. પિતાનાં સત્ય પરમાત્માને આવિર્ભાવ કરવામાં અજ્ઞાન મેહ આડે આવે છે. અજ્ઞાન મેહને દબાવીને છેદીને પિતાની આત્મ શક્તિ ખીલવવા ચિત ભાવનામય બની જવાની જરૂર છે. બાહ્ય સર્વ મેહક વસ્તુઓના સંબંધને વચ્ચે આવતાં છેદી નાખે. પરમાત્મ સ્વરૂપ પ્રકટાવવાને સર્વ પ્રકારની ઈચ્છારૂપ પશુઓને ત્યાગયજ્ઞમાં ભેગ આપો. અરણિમાં અગ્નિ રહી છે તેને પ્રગટાવવાની યુક્તિ શિખવાની જરૂર છે. દુશ્વમાં ધૃત રહ્યું છે, માત્ર ધૃત કાઢવાની યુક્તિ શિખવાની જરૂર છે. આપણો આત્મા જ સત્તાએ પરમાત્મા છે તેને શ્રી વીર પ્રભુએ ઉપદેશેલા ઉપાયોવડે પ્રગટ કરવાની જરૂર છે. આખી દુનિયામાં કે જ્યાં ખરૂં સુખ નથી ત્યાં બ્રાનિતથી સુખ શોધવા જતાં કદી ભૂતકાળમાં કોઈને મલ્યું નથી, વર્તમાનર્મા કેઈને મળતું નથી અને ભવિષ્યમાં કોઈને મળનાર નથી. આપણું આત્મારૂપ પરમાત્મામાં જ અનન્ત સુખ રહ્યું છે, એ પોતે અનુભવ કરે અને સત્ય સુખને ભગ કરે તથા આખી દુનિયાના મનુષ્યને સત્ય સુખ તરફ વાળો એજ પરમ કર્તવ્ય છે. આપણું સત્ય સુખ પિતાના આત્મારૂપ પરમાત્મામાં છે. પોતાના આત્માને દીન માનીને તેને ઇચ્છાઓના બંધનમાં કેદી બનાવીને પિતેજ દુઃખી થઈએ છીએ. આત્મારૂપ પરમાત્મા પિતે છતાં શા માટે દીનતા કરવી જોઈએ? આત્માને મોહની વૃત્તિથી ભિન્ન દેખો એ પરમ ચરમ કરૂં વ્ય છે. જગતમાં ધર્મજીવો જાગતા સારા અને અધમ જીવો ઉંઘતા સારા. ધર્મજીવો અપ્રમાદી સારા અને અધમરજી પ્રમાદી અર્થાત આલસ્ય યુક્ત સારા. ધમીજી બળવંત સારા અને અધર્મીજી અબળવંત સારા. ધર્મછે દક્ષતાવાળા સારા અને અધર્મજીવો અદક્ષતાવાળા સારા. ધર્મજીવે For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy