SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત્ ૧૬૮ ની સાલના વિચારે. - ~- ~--~" - - - - - - - - - - - - - • - • • • wwher છે અને તે શઠતા પ્રગટ કરવાનો. ક્રર મનુષ્યની વા ચોરની કરતા વા ચેરી પરત્વે તે પ્રશંસા કરતા હોય તે સમજવું કે તેનામાં તેવા પ્રકારના ગુણેના સંસ્કારે જામેલા છે. ગાડીયા પ્રવાહની રીતિની તે પ્રશંસા કરતા હોય તે સમજવું કે તે ગાડરીયા ડાવાની રીતિને ગુલામ છે. લક્ષ્મીવતોની પ્રશંસા કરતે હોય તો સમજવું કે લક્ષ્મીને ગુલામ છે. ઈલ્કાબે ધારણ કરનારાએની તે પ્રશંસા કરતા હોય તે સમજવું કે તે ઇલ્કાબેમાં મેહ પામેલ છે. સત્તા ધારકોની વિના ગુણે પ્રશંસા કરતા હોય તો સમજવું કે તે સત્તાનો દાસ છે. ભાટ ભવૈયાની પેઠે અને રીઝવવા પ્રયત્ન કરતા હોય તો તેનું હૃદય અને વાણી તેણે વેચેલાં છે. છેલ્યા પ્રમાણે ન વર્તતો હોય તે સમજવું કે તે અપ્રમાણિક છે. નીતિના વિચારોમાં દઢ હોય તે સમજવું કે તે પ્રમાણિક છે વા પ્રમાણિક બનશે. વાણીમાં જુદું અને આચારમાં જુદું વર્તન હોય તે સમજવું કે તે કપટી છે. કેદની કહેલી વાત તેના પિટમાં ન ટકતી હોય તે સમજવું કે તે તુર છે. જ્યાં જાય ત્યાં તે થઈ જાય એ હોય તો સમજવું કે તે સ્વહૃદય વિનાનો છે. પિતાના હૃદયના વિચારે પ્રમાણે બેલી ન શકતા હોય તે સમજવું કે હૃદય બળ વિનાને છે. ઘણા ભાગે શબ્દો અને આચારે એ બે હૃદયના વિચારોનું પ્રતિબિમ્બ છે. કેળવણી વધવા માંડી. દેશપરદેશના રીત રીવાજોનું જ્ઞાન વધવા માંડયું. હુન્નરનું જ્ઞાન વધવા માંડયું પણ નીતિ, ચારિત્ર્ય બળ ઘટવા લાગ્યું છે. વિશ્વાસઘાત કરનારાઓ ઘણું પ્રગટવા લાગ્યા છે. નીતિના વિચારે બોલનારા ઘણું દેખાય છે પણ નીતિને આચારમાં મૂકી બતાવનારા તો તેમાં એક નીકળી આવે તે આશ્ચર્યની વાત જેવું થઈ પડયું છે. દીલને લેઇ દીલને ઘાત કરવો એ તે મોટી હશિયારી થઈ પડી છે. પરસ્પર એક બીજાની નિન્દા કરવી એ તે શાકભાજી જેવું જેને અને ઇતર પ્રજામાં ગણાય છે. સત્ય એ તે મેટા દેવના દર્શનની પેઠે દુર્લભ ચીજ થઈ પડી છે. એક બીજાનું ઇર્ષા કરીને થાપવું અને હત્યાપવું અને આડી અવળી ગમે તેની આળ દેવાની વાત કરવી એ તે દરરોજના ધંધા જેવું થઈ પડ્યું છે. પરની ઉત્કર્ષતાને સહન કરનારા તે વિરલા માલુમ પડે છે. કઈને કઈ રીતે પડીને પતે આગળ ચડી જવું એવું બેલનારાઓ ઉસ્તાદ ગણાય છે. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy