________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
પાર્શ્વનાથ પ્રભુપર કમઠ યોગીએ વૈર ધારણ કર્યું. તે મરીને મેઘમાલી દેવતા થયા, તે વખતે પણ વરની યાદી કરીને પાર્શ્વ પ્રભુને જલને ઉપસર્ગ કર્યો. માટે સમજવાનું કે કઈ છે ગમે તેવો અપરાધ કર્યો હોય તો પણ તેના ઉપર વૈરભાવ ધારણ કરવો નહીં. કારણ કે ધારણ કરેલા ધરભાવથી આ ભવમાં વરની પરંપરા વધારીને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. શ્રીમુનિસુવ્રતપ્રભુના પૂર્વભવને મિત્ર કે જે ભરૂચમાં અવ થયો હતો, તેને હેમમાંથી શ્રીમુનિસુવતે ઉપદેશ આપી બચાવ્યો. માટે આ ઉપરથી સમજવાનું કે, ઉત્તમ સનત મનુષ્યોને મિત્ર કરવા, સાધુઓના ભક્ત બનવું, ધબિમનુષ્યોને વહાલા થવું જેથી આ ભવના સંબંધે પરભવમાં પણ તેઓ ઉચ્ચ થયા હોય તે નેહના સંબંધે આપણો ઉદ્ધાર કરે.
સંવત ૧૯૬૮ ના ભાદરવા વદિ ૭ ને મુરૂવાર તા. ૩
અકબર સને ૧૯૧૨. શુદ્ધ નિશ્ચયનયથી અવલોકતાં અસંખ્યપ્રદેશી આત્મા અને તેના એકેક પ્રદેશમાં જ્ઞાનાદિ અનંત ધર્મ છે. એકેક પ્રદેશમાં અનંત ગુણપર્યાય રહ્યા છે. જેના એકેક પ્રદેશમાં સમયે સમયે અનેક ધર્મની અસ્તિતા અને નાસ્તિતા અને રહી છે એવા આત્મા વિના આત્માની સાથે જે જે લાગ્યું છે તે તે તથા જે જે સંબંધે પોતાનું ગણાય છે તે આત્માનું ન હોવાથી તે તે ભિન્ન વસ્તુઓમાં અહં બુદ્ધિ કેમ ધારણ કરવી જોઈએ ? શુદ્ધ નિશ્ચય નયથી હું આત્મા છું. જાતિ, લિંગ, વેષઆદિથી ભિન્ન છું. કાયા વગેરેથી ભિન્ન છું, સર્વથી હું અલગ છું, સર્વ પદાથોને જાણનાર તથા દેખનાર
એવી જ્ઞાનાદિશક્તિમય છું. આમ જ્યારે ઉપયોગથી જોઉં છું ત્યારે મને કઈ બંધન જણાતું નથી. કોઈ વસ્તુમાં પરતંત્ર થવું એ ભાસતું નથી. હું પિતે અન્ય પદાર્થોથી પરતંત્ર નથી પણ સ્વતંત્ર છું એમ નિશ્ચય છે. અન્તમાં શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ વિચાર અને બાહ્યથી વ્યવહારને યોગ્ય આચારણ આચરી શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ વિચારતાં, ધ્યાવતાં પિતાની અલૈકિકતા પિતાને સમજાશે એમ નકી અનંત
For Private And Personal Use Only