________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૪૩૧
તવ તેજના અંબારમાં દુનિયા સકલ જેતે રહું, કાયા અને માયા સહુ એ તેજ જોતાં છે નહીં. મારું હૃદય સંપ્યું તને એ પ્રેમમાં અર્પણ સહુ,
જ્યાં ભેદને ખેદજ નથી ત્યાં ભેદ શાના માનવા; જે હું અને જેનું અરે એ વૃત્તિના મધ્યે રહ્યું, તે શુદ્ધ તપાસનામાં મસ્ત હું રાચી રહું. ગંભીર તારા રૂપને પાર જ લહું નહિ ધ્યાનમાં, કથતાં ઘણું બાકી રહે એ વાતને સાક્ષી તુહિ; તારા વિના ગમતું નથી મનમાનતું નહિ અન્યને, સહેવાય નહિ વિયેગને ક્ષણ લાખ વર્ષે સમ થયો. જે દીલમાં આવે અરે તે લેખિની લખતી નથી, વાણ સહુ કહેતી નથી એ દીલ જાણે દીલને; તારા વિના સાક્ષી નથી તારા વિના રહેવું નથી, તારા વિના વદવું નથી તારા વિના જેવું નથી. જે તું અરે તે હું અને જે તું નહીં તે હું નહિ, જે જાતિ તે હું જાત છું હું એકયમાં બીજું નથી; જે જે ગુગ દ્વારા અરે મહારા અને તે તે ગુણે, હારૂ અને હા ખરેખર ઐકય છે એ વસ્તુતઃ લઇ માત્રમાં દિલમાં અરે એ સર્વ તારું થઈ રહ્યું મારૂ અને હારૂ અરે એ ભેદ પણ ભૂલી ગયો; આયને આધાર તું જિનરાજ ધ્યાને તું રહે, બુદ્ધબ્ધિ હર્ષોલ્લાસના કલ્લોલની ધ્વનિઓ કરે.
For Private And Personal Use Only