SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૬૮ની સાલના વિચારે. ૪૧ પ્રમાણે દુઃખ વેઠીને ચાલે છે, અને દુનિયાને પ્રભુના માર્ગમાં અનેક દુ વેઠીને લાવે છે. રાજા, બાદશાહ અને શહેનશાહના ગુરૂઓ પણ સાધુઓ છે. આખી દુનિયામાં ખરા સુખને દેનારી સાધુપદવીસમાન અન્ય કેાઈ પદવી નથી. સાધુ થઈને આત્મસ્વભાવમાં રમતા કરી સાધુ પદવીને અનુભવ કરે તે સાધુ માહાતમ્ય અવધવાને શક્તિમાન થાય છે. ગૃહસ્થોએ સાધુઓની ભક્તિ કરવી અને તેઓની સેવા અને તેઓના હૃદયના આશીર્વાદથી પિતાના આત્માને તારવા પ્રયત્ન કરો. * * * * સંવત્ ૧૬૮ ને શ્રાવણ વદિ ૧૪ મંગળવાર તા. ૧૦ મી સમ્બર ૧લા. અમદાવાદ. સન્તાની સેવા કરવાથી મેક્ષનું દ્વાર ઉઘડે છે. સત્વગુણધારક સંતોની સેવા કરવાથી આભાના પરિણામની શુદ્ધિ થાય છે, અને સંસારની દુઃખદ ઉપાધિ ત્યાગ કરવાની રૂચિ પ્રગટે છે. સંતોની આંતરડી દુઃખવવાથી ભૂતકાળમાં કેઇનું સારું થયું નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં કદિ કોઈનું સારૂં થશે નહિ, પગની ઠેસથી ઉડેલી ધૂળ પણ ઠેસ મારનારના શિર્ષ ઉપર ચઢી તેને તિરસ્કાર કરે છે. સંતેનો તિરસ્કાર કરવાથી પિતાના આત્માને ઉદ્ધાર થતું નથી. સાધુઓની ભકિત કરના રાઓ સ્વર્ગ અને મેક્ષ મેળવે છે. અને સાધુઓની નિંદા-હેલના કરનારાઓ નરકગતિ આદિનાં દુખે પ્રાપ્ત કરે છે. સાધુઓની ભકિત કરનારાઓ અનત કર્મની નિર્જરા કરે છે. પુણ્યાનુબંધી પુણ્યવંત છ સાધુઓની ભકિત પ્રાપ્ત કરી શકે છે. શ્રી સર્વ વીરપ્રભુનાં વચનોની શ્રદ્ધા ધારણ કરનારાઓ સાધુને ગુરૂસ્વીકારીને પરમાત્માની આરાધનામાં વિધિપૂર્વક આગળ પગલું ભરી શકે છે. કોઈ પણ રીતે સાધુઓની હેલના-નિન્દાથી દૂર રહીને ગૃહસ્થોએ ધર્મનું આરાધન કરવું. શ્રીવીતરાગદેવની આજ્ઞા છે કે રાગદ્વેષને નાશ કરે હોય તે ગૃહસ્થોએ સાધુઓની સેવાભકિત કરવી. જે છ કાયની હિંસામાંથી છૂટવા નથી, એવા ગૃહસ્થ સંસારમાં આસ્રવકર્મમાં આસકત હોવાથી જૈનશાસનમાં તેમનો દરજજો બારવ્રતને ધારણ કરે છે, તે પણ અણવતમાં ગણ્યો છે. જૈનાગમોની શ્રદ્ધા જેના For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy