SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ સંવત ૧૯૬૮ ની સાલના વિચારો. સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદ ૩ ગુરૂવાર, તા. ૧૫ મી ઑગસ્ટ ૧૯૧ર. અમદાવાદ, મનમાં પ્રગટતા શુભ, અશુભ વિચારોથી પિતાની ઉન્નતિ થાય છે કે અવનતિ થાય છે તે અવબોધી શકાય છે. મનમાં શુભ વિચારો પ્રગટતા હોય તે જાણવું કે હું ઉન્નતિક્રમના પગથી આપર ચટું છું. રાત્રે સ્વમમાં અશુભ કામ-ક્રોધાદિકના ચિત્રો પ્રગટતાં હોય તે જાણવું કે મારો આમાં હજી વિષય કષાયના તાબે છે. પિતાની વર્ષ પહેલાંની જીંદગીમાં થતા વિચારો અને વર્તમાનકાળમાં થતા વિચારેને મુકાબલે કરી જ અને પછી પોતાને આત્મા પ્રગતિ માર્ગમાં છે કે પશ્ચાત છે તેનો નિર્ણય કરી લે. આચાર કરતાં વિચારોથી પિતાના આત્માની પરીક્ષા કરી લેવી. એકાંતમાં બેસીને ધર્મના વિચાર કર્યા કરવા. તે વખતે જે ખરાબ વિચારો આવે અને ધર્મના વિચારોમાં વિદત નાંખે તેજ ખરાબ વિચારોને આપણે શ્રેમથી મુખ્યપણે સેવ્યા છે એમ સમજી લેવું. કોઈ દુર્ગુણના કાર્યમાં પ્રવેશ થતાં, જે પ્રકારનો વિચાર આપણને તેમાંથી પાછાં હઠાવવા પ્રયત્ન કરે તે જ વિચાર આપણે મુખ્યપણે સેવ્યો છે એમ નિર્ણય કરવો. સરકાર શહેરોમાં પાણી લઈ જવા નળ બાંધે છે પશ્ચાત પાણી પોતાની મેળે નળમાં વહ્યા કરે છે, એ દૃષ્ટાંત શહેરના લોકોને જાણીતું છે. આપણે પણ શક્તિરૂપ જળનો પ્રવાહ યથેષ્ટ સ્થાનમાં વહેવરાવવા માટે નાનાં સાધનો રચવાની જરૂર છે. નળના ઠેકાણે શુભ સંકલ્પો અવબોધવા. જે તરફના આપણે શુભ સંકલ્પ કરીએ છીએ તે તરફ શુભ સંકલ્પ દ્વારા આપણા આત્માની શકિતયો વહેવા માંડે છે, અને અનેક મનુષ્યોનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આપણો નળ અને આપણી શકિતયોને આપણે યોગ્ય વ્યવસ્થામાં ગોઠવવી જોઈએ. આપણે નળ કેવડો મોટો છે તે આપણું કરેલા સત્ય સંકલ્પજ કથી આપશે. આપણું આત્માને પૂછીશું તો સદવિચારોમાં કેટલો વખત જાય છે તે કથી આપશે. સવિચારો કરતાં અશુભ વિચારો પ્રબલ જુસ્સાથી ઉત્પન્ન થઈને શુભ વિચારોને દબાવી નાંખતા હોય તો સમજવું કે હજુ આપણે પાછળ છીએ. દુનિયાના માનવાથી આપણે આગળ ગમન કરીએ છીએ એમ માનવાના કરતાં પિતાના આત્માની સાક્ષીએ નિર્ણય કરીને આગળ છીએ વા પાછળ છીએ ? તેનો નિર્ણય કરી લેવું જોઇએ, મનને કાબુમાં રાખવાના અભ્યાસથી અશુભ વિચારોનો For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy