SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. ૩૮૯ 1 - - - - - - - - - - - - - - - - - સંવત્ ૧૯૬૮ અષાડ વદિ ૮ મંગળવાર, તા. ૬ ઓગસ્ટ ૧૯૧ર અમદાવાદ, અજ્ઞાન મેહથી મેરૂ પર્વતના કરતાં મોટા દુઃખના પર્વતને તું ઉભો કરે છે, અને તેમાં દેહાત્મબુદ્ધિથી બંધાય છે. વાસનાઓના તંતુઓ વડે સિંહ સમાન એવા હે આત્મન ! હારે હવે બંધાવું ન જોઈએ. તું સ્વતંત્ર છે. કોઈ પણ વસ્તુમાં આત્મા તારો સ્વાર્થ નથી. ભ્રાંતિથી અનેક કલ્પનાઓ કરીને નિર્ભય એવો તું ભય પામે છે. એ ખરેખર તને ઘટતું નથી. હે આત્મન ! !! તું સૂર્યસમાન વા તેના કરતાં અનન્ત ગુણો પ્રતાપી છે. હારા જ્ઞાન પ્રતાપે કર્મના હિમ પર્વતો ગળી જાય છે. શરીર એ હારે જગતમાં શુભ કાર્ય કરવાનું હથિયાર છે. શરીર એ હારી ગાડી છે, મન રૂ૫ સારથી છે અને તેમાં બેઠેલો હે આત્મન ! તું રાજા છે, તું ત્રણ ભુવનનો શહેનશાહ છે. હારૂં અપરંપાર સામર્થ્ય છે. તું સૂક્ષ્મ થકી પણ સૂક્ષ્મ છે. હે આત્મ! તું દેવ છે. હે આત્મન તું સત્તાએ પરમાત્મા જ છે. પ્રારબ્ધ કર્મ ભોગવવા પડે તે તે પ્રારબ્ધ કર્મનો કર્તા તું છે, અને તેને જોતા તું છે તેમજ તેને હર્તા પણ તું છે. પિંજરામાં રહેલો સિંહ કંઈ અસિંહ થઈ જતું નથી તેમ કર્મ રૂપ પિંજરમાં રહેલ હે આત્મન ! તું કંઈ જડ બની શકતા નથી. તું આનન્દને સમુદ્ર છે. હારૂં તેજ અપરંપાર છે. દેહાત્મબુદ્ધિને સ્વપ્નમાં, પણ ખ્યાલ ન આવે એ તીવ્ર ઉપયોગ ધારણ કર. શુદ્ધ સ્વરૂપમય એવા હારા પદને તું ખ્યાલ કર ! મનોવૃત્તિથી ભિન્ન ભિન્ન કપનાએ કલ્પાયેલ છે અ-મન ! હવે તું હારા શુદ્ધ ધર્મને ખ્યાલ કર. પુદ્ગલ પર્યાયોના સંબંધને પિતાના ન માન ! આરોપિત સુખ ભ્રમને દૂર કરીને સહજ સુખના સાગરને એક સ્થિરપયોગથી અવલોક અને તેમાં નિમગ્ન થા. બાઘાપ જીવનાભાવડે હારે જીવવાનું નથી પણ હારા શુદ્ધ ધર્મ રૂપ જીવન વડે જીવવાનું છે, એમ ખરો ખ્યાલ હદયમાં ધારણ કર. સાધુ દીક્ષાએ હાર આન્તરિક પુનર્જન્મ છે. દરેક આત્માઓને આતરિક પુન જન્મ જીવવાનું છે અને તે માટે બાહ્ય વેષ એ નિશાની રૂપે અવબેધવાને છે. મરજીવો થઈને મુક્ત થવાનું છે એને અર્થ ઉપર્યુક્ત ભાવમાંજ સમાય છે એમ અન્તમાં પુનઃ પુનઃ! વિચાર. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy