SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે. : ---------~~-~~~સત્કાર્યોનું મનન કર, સદ્દવિચારોને સદાચાર માં મૂકવા માટે આત્મળ ફેરવ. આત્માનું જેટલું બને તેટલું બળ ફોરવા. સર્વે આત્મામાં પરમાત્મ સત્તા રહી છે. આત્મા જ પરમેષ્ઠીરૂપ છે, એવું જાણીને તેવી ભાવનામાં મસ્ત રહે કે જેથી તે વ્યક્તિપણે તું થઈ શકે. અહિંત તે િસાતમवीर जिनेश्वर उपदिसे. સંવત ૧૯૬૮ ના અષાડ વદિ ૩ ગુરૂવાર તા. ૧ લી. આગસ્ટ ૧૯શર, અમદાવાદ. જે વખતે ચારે વર્ણન લેકે જેનધર્મ પાળતા હતા, ત્યારે દરેક વર્ણના શ્રાવક લોકોના ઘેરથી સાધુઓ આહાર લેતા હતા, એમ કેટલીક ચર્ચા પશ્ચાત કથવું પડે છે. અતિથિસંવિભાગ ચારે વર્ણના શ્રાવકે અંગીકાર કરી શકે, અને ચારે વર્ણના શ્રાવકે સાધુઓને વહરાવ્યા વિના અતિથિ સંવિભાગ વ્રતને આરાધી શકે નહિ, એમ સિદ્ધ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશીનું અધ્યયન મનન કરવા યોગ્ય છે. ગમે તે વર્ણના લોકો શ્રાવકનાં વ્રત લઈ શકે છે અને વીતરાગ ધર્મ આરાધી શકે છે તથા તેને એને વ્રત લેતાં ધર્મ કરતાં કોઈ અંતરાય કરે તે અંતરાયકર્મ બાંધે. અમુક વર્ણના લોકો જ જૈનધર્મ પાળી શકે એવું કોઈ વર્ણને જીસ્ટર કરી આપવામાં આવ્યું નથી. શ્રી મહાવીર પ્રભુના લગભગ સમયમાં હાલના જેટલા નાત-વર્ણોના ભેદ નહતા એમ લાગે છે, અને તેની સાબિતી માટે ઘણી દલીલ આપી શકાય તેમ છે. સંપ્રતિ સમયમાં જૈનધર્મની દષ્ટિએ જોતાં પહેલા કરતાં હાલ ઘણે ફેરફાર થઈ ગયેલે માલુમ પડે છે. શ્રી શ્રેણિક રાજાએ મેતાર્યમુનિ કે જે ગૃહસ્થાવાસમાં ચંડાલ હતા, તેમને ગૃહસ્થ દશામાં પિતાની પુત્રી પરણાવી હતી. આમુનિ ગૃહસ્થાવાસમાં અનાર્ય દેશના પ્લેચ્છ રાજાના પુત્ર હતા, તેમને વેરે આર્યાવર્તન શેઠે પિતાની પુત્રી પર ણાવી હતી. સોમિલ બ્રાહ્મણે પોતાની પુત્રીનું લગ્ન શ્રી ગજસુકુમાર ક્ષત્રિયની સાથે કર્યું હતું. પૂર્વના સમયનો ઈતિહાસ અવલોકતાં અને હાલને જમાને અવલેતાં મતભેદો અને આચારભેદ કેટલાક પડયા એમ અવબોધાય છે. પૂર્વના સમયમાં ઉદાર વિચાર અને આચારોની ઉત્તમતા હતી. સત્યથી For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy