SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ સંવત ૧૬૮ ની સાલના વિચારો. ----- --*- -—------------ --------------------- ~-~-~-- સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૭ શનિવાર. તા. ૨૦ મી - જુલાઈ ૧૯૧૨ અમદાવાદ કર્મસંબંધી જેનશામાં જેટલું વર્ણન છે તેટલું અન્ય દર્શનીઓના શાસ્ત્રોમાં દેખાતું નથી. કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથ વાંચીને કર્મનું જ્ઞાન કરવું જોઈએ. કર્મગ્રંથોનો અભ્યાસ કરીને વિકતાનો અહંકાર ન કરવો જોઈએ. મેહનીયાદિ કર્મની પરિણતિઓને જીતવા પ્રયત્ન કરવો એજ કર્મગ્રંથના અભ્યાસનું ચારિત્ર રૂપ ફલ અવધવું. કર્મગ્રંથ ભણીને જેઓ રાગદ્વેષની પરિણતિને નાશ કરવા યત્ન કરતા નથી, તેઓ કર્મગ્રંથ જ્ઞાનને સાર પ્રાપ્ત કરી શકતા નથી. કર્મગ્રન્થના અભ્યાસીઓએ કર્મનું સ્વરૂપ અવબોધીને કર્મની શ્રદ્ધા ધારણ કરીને જે જે દુ:ખો પડે છે તે કર્મથી પડે છે, એમ માની સમભાવે દુખો વેદવાને અભ્યાસ કરવો. કર્મને સમતાથી ભેગવવાં જોઈએ, અને નવીન કમ ન બંધાય એમ આન્સરિક પ્રયત્ન સેવવો જોઈએ. સર્વ ઇ કમના વશ છે, તેથી ક. ધીન જેવો ઉપર કરૂણું ભાવ વા આત્મભાવ ધારણ કરવો. દુઃખ પામવામાં કઈ જીવ નિમિત્ત ભૂત થાય તાપણું તે જીવ ઉપર ટૅપ ન પ્રકટ થાય ત્યારે સમજવું કે કર્મની શ્રદ્ધા અને કર્મજ્ઞાનથી જે ફળ પ્રાપ્ત કરવાનું છે તે થયું. કર્મને વશ પડેલી દુનિયાને મુક્ત કરવા માટે સગુણેની આવશ્યકતા છે. કર્મનું કારણ રાગ અને દ્વેષ છે. રાગ અને દેશને નાશ કરવા ઉદ્યમશીલ બનવું એજ કર્મગ્રંથ જાણવાનું ફલ છે. કર્મ કર્મ એમ ગોખીને જેઓ કર્મને દુઃખનું કારણ માને છે, છતાં કર્મના પંજામાં જેઓ ફસાય છે, તેવા પર કરૂણું ચિંતવવી અને તેઓને કમેના પંજામાંથી મુક્ત થવાના સહયોગને ઉપદેશ દેવો. કર્મથી જે જીવો મુંઝાયા છે અને કર્મના નચાવ્યા જે જીવે નાચે છે, તેઓના ઉપર અશુભ ભાવ ધારવો તે એ કેટલું બધું ખોટું ખરાબ કહેવાય ? પડતા ઉપર પાટુ મારવાની પેઠે કર્મના તાબામાં આવેલા જીવોનું અશુભ ચિંતવવું, અવાધવું, મિથ્યાત્વ, અવિરતિ કપાય, આદિ કર્મબંધ હેતુઓને દૂર કરવા જ્ઞાનીઓ પ્રયત્ન કરે છે. બાલવીએ કમબંધના હેતુભૂત એવા બાહ્ય પદાર્થોથી દૂર રહેવા પ્રયત્ન કરો. મધ્યમ છ રાગ અને દ્વેષનો નાશ કરવા પ્રયત્ન કરે છે અને ઉત્તમજ્ઞાનિપુરૂષ કર્મને નાશ કરવા માટે આત્માનાં શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે. આ વ્યાખ્યા અપેક્ષાએ અધિકાર ભેદે અવધવા યોગ્ય છે, આભા જ કર્મને બાંધે છે અને આત્મા જ કર્મને For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy