SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૪ સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો. - - - - -- -- -- - - - - - સંવત ૧૯૬૮ ના અ, અષાડ વદિ ૬ શુક્રવાર તા. ૧૫ મી - જુલાઈ ૧૯૧૨. અમદાવાદ. ભૂતકાળમાં જે જે દુઃખ લાગે છે . હેય તે ભૂલી જા. ભૂતકાળમાં પડેલાં દુઃખેનું સ્મરણ કરી સત નકાળમાં દુ:ખી ન થા. દુખના પ્રસંગે સ્મરણ કરીને વતન કાલના દુ:ખના સંસ્કાર ન પાડ. ભવિષ્ય કાલમાં થનાર દુઃખાના ચિંતા કરીને માન કાલ માં દુઃખી ન થા. લખના વિચારો વારંવાર મનમાં પ્રકટાવ થી સુખને ઠેમણે દુઃખ આવીને ઉભું રહે છે. દુઃખના વિચારો કરવાથી દુઃખની પરિણતિ વૃદ્ધિ પામે છે, અને આર્તધ્યાનના વશમાં પડી શકાય છે. દુઃખના વિચારો છોડી દે. આનન્દના વિચારે કર. ગમે તેવી સંકટ દશામાં પણ આનન્દની ભાવના ભાવ. આનન્દમય છું અને મારા આત્મામાં આનન્દનો સાગર ભર્યો છે એવી ભાવના ભાવ. દુ:ખના વિચારોને આનન્દના વિચારોથી પાછી હઠાવ. આમા આનન્દમય છે અને આનન્દ એજ મારું પરમ જીવન છે એવી ભાવના ભાવ. આનન્દ વિના મારાથી જીવી શકાય નહિ. આનન્દરૂપ જીવન વડે હું જીવું છું એમ દઢ સંકલ્પ ધારણ કર. ગમે તેવા બાહ્ય સંયોગોમાં ભારે આનન્દમાં જ રહેવું જોઈએ. ગમે તેવાં દુઃખનાં વાદળોથી આચ્છાદિત થતાં અણુ હું અન્તરથી આનન્દમય છું. મારું આનન્દમય સ્વરૂપ ખરેખર કદિ આત્મામાંથી નષ્ટ થનાર નથી. પરમ શુદ્ધાનન્દ પ્રાપ્તિ માટે જીવું છું. મારા આનન્દ સ્વભાવને પ્રકટ કર્તા હું પિતે છું. આનન્દની વાત કરવી. આનન્દનાં ગીત ગાવાં ગમે તેવા સંયોગોમાં જે જે કાર્યો કરવામાં આવે તે વખતે આનદની ભાવના અન્તરમાં ભાવ્યા કરવી. એમ હે ચેતન ! તું દઢ નિશ્ચય કર ! શુદ્ધાનંદ મળે એવાં ધર્મ પુસ્તકોને વારંવાર વાંચ. ચિંતાના વિચાર ન કરતાં શાન્તિના વિચારો કર. દુઃખની ભાવનાને હઠાવવા માટે આનન્દમય પિતાને ભાવ. ત્રણ કાલમાં હું આત્મા છેદાઉ નહિ, ભેડાઉ નહિ, પાંચ ભૂતમાંનું કોઈ ભૂત મારો નાશ કરવા સમર્થ છે નહિ, કેઇનાથી ભારે મૂળમાંથી નાશ કરી શકાય તેમ નથી. શરીર છૂટે છે. શરીરે વસ્ત્ર જેવાં છે, કર્મના યોગે તે શરીર વસ્ત્રો બદલાય છે, પણ હું આત્મા તે જેને તેવો છું. મારું આત્મદ્રવ્ય ત્રણ કાલમાં એક રૂપ છે. આખી દુનિયા સામી થાય તે પણ મારું આત્મસ્વરૂપ નષ્ટ કરી શકે નહિ. જડ જડના સ્વરૂપે છું અને હું આમા મારા ધમે છું. મારે પરમ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy