SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સંવત ૧૯૬૮ ની સાલના વિચાર. વૈકાલિકમાં પ્રાયઃ સાધુના ઉત્સર્ગ નાનું વિવેચન છે. દરેક સાધુ અને સાધ્વીએ દશ વૈકાલિકનું મનન કરવું જોઇએ. વિનય અને ભાષા સબંધીયનમાં વિશેષ વ દેવા માંગ છે. ગુરૂગમપૂર્વક દશ વૈકાલિક સૂત્રનું અધ્યયન કરવું જોઇએ. સાધુની મન વાણી અને કાયા ઉપર અંકુશ મૂકનાર દશ વૈકાલિક સૂત્ર છે. સયમમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે દશ વૈકાલિક સૂત્રની જરૂર છે. X 45 www.kobatirth.org X × X Acharya Shri Kailassagarsuri Gyanmandir સવત્ ૧૯૬૮ ના અષાડ વિઢ ૫ ગુરૂવાર તા. ૪ થી જુલાઇ ૧૯૧૨, અમદાવાદ. મન જે વખતે ચિંતાતુર બન્યું હેાય તે વખતે આત્માના શુદ્ધ ધર્મના વિચારો કરવા. આત્માને સ્થિરતા ગુણુ ધ્યાવવાથી અસ્થિરતા ટળી જાય છે. હું મેરૂપત પેઠે મારા ધમે સ્થિર છું, એવી ભાવના ભાષ્યાથી અનેક વિત્તિયા સામું અડગ રહી શકાય છે, અને દુ:ખના ઘેરામાં હિંમત હારી શકાતો નથી. ઉપસર્ગા, દુઃખા અને અન્ય જીવા મારા આત્માનુ કશું કરી શકવાના નથી, એવા દૃઢ સ’કલ્પ કરીને એક કલાક પર્યંત ધ્યાન ધરવાથી પ્રતિકૂલ ઉપસર્ગીની વચ્ચેાવચ્ચ હસતા ઉભા રહેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. અનેક ઉપસર્ગા અને દુઃખા વચ્ચે ઉભા રહીને આત્માની સમાન ભાવ શક્તિ ખીલવવી જોઇએ. જ્ઞાતીના આત્મા દુઃખાની કસોટીથી કસાઈને ધૈર્યશક્તિ પ્રાપ્ત કરે છે. દુ:ખા કઇં અનુભવ આપવા માટે પ્રાપ્ત થયાં છે, એવા ભાવ લાવીને પ્રાપ્ત દુ:ખાથી ચંચળ ન થતાં તેના સામા ઉભા રહેવું. મનમાં જો દુઃખની કલ્પના ન કરવામાં આવે તે દુઃખના હેતુઓ ભાસતા નથી. વ્યાધિ અને ઉપાધિને પણ મનમાં દુઃખની કલ્પના ૉવિના વેવામાં આવે છે તે ઉપાધિ અને વ્યાધિના સમયમાં પણ આત્મા સ્વતંત્ર ઉપયાગી બની રહે છે. હું આત્મન ! આત્મશક્તિને ખીલવ! ઉપર્યુક્ત ઉપાયને અન્તમાં ધારણુ કરી સાવધાન થઇ આગળ ચાલ ! જ્ઞાનની પરીક્ષા, દુઃખમાં થાય છે. × For Private And Personal Use Only x ૩૫૩ X
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy