________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ખીલવી જોઈએ અને તેઓને આર્ય જૈન બનાવવા માટે પ્રયત્ન કરે જોઈએ. બ્રહ્મચર્ય ધારણ કરનાર સાધુઓનાં સ્થાનકે હેવાં જોઈએ, જેમાં આત્મારૂપ પરમાત્મા રહ્યા છે, એવા શરીરની કિંમત નથી. લાંબી વય સુધી જીવવાની આશા રાખનારાઓએ બ્રહ્મચર્યને સારી રીતે પાળવું જોઈએ. વીર્યની સંરક્ષાથી દેહનું આરોગ્ય વધે છે. અસંખ્ય વા અનન્ત હીરા કરતાં મનુષ્ય શરીરની કિંમત ઘણી છે, અને તેના કરતાં શરીર વીર્ય સંરક્ષા કરીને બ્રહ્મચર્ય પાળવું તેનું તે મૂલ્યાજ કયાંથી થઈ શકે ?
સંવત ૧૯૬૮ ના અ. અષાઢ સુદ ૮ શનિવાર તા. ર૬ મી
જુન ૧૯૧ર, અમદાવાદ. સંસ્કાર અને તેના મંત્રનું ગુપ્ત રહસ્ય યોગીઓ અવબેધી શકે છે. ખેતરમાંથી ભૂમિને જેમ ખેડ ખાતર વગેરેના સંસ્કારો આપવામાં આવે છે, તેમ મનુષ્યના આત્માને પણ સંસ્કારો આપવાથી અમુક ચોક્કસ ધારેલું પરિણામ લાવી શકાય છે. સંસ્કારોની આવશ્યક્તા છે, એમ દલીલથી સ્પષ્ટ સમજાવી આપનાર અનેક પુસ્તકો રચવાની જરૂર છે. સંસ્કારોના જે મંત્રો ઠરાવવામાં આવ્યા છે, તેનું જ્ઞાન ખરેખર વક્તા તથા શ્રેતાને હેવું જોઇએ. વેદીઆ ઢોરની પિઠે તે સંસ્કારોના મંત્ર ન ગોખાવવા જોઈએ. દરેક વસ્તુને ઉત્તમ બનાવવાને અનેક પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે. જે ક્રિયાઓથી અને વિચારોથી જેના ઉપર સંસ્કાર કરવામાં આવે છે, તેને અસર કરવી જોઈએ. માતા અને પિતાએ ગર્ભના પહેલાં ઉત્તમ દયાદિ ધર્માચાર અને દયાના ધર્મના વિચારો વડે પોતાના આત્માને પિષો જોઈએ. જે માતા અને પિતા પિતાના આત્માના સદગુણોને સેવતાં નથી, તે માતા અને પિતાથી થનાર સંતતિને તેઓ ઉત્તમ બનાવી શકતાં નથી. પિતાની સંતતિને ઉત્તમ દઢ અને પવિત્ર બનાવવાની ઈચ્છાવાળા માતા અને પિતાએ પ્રથમ પતે તે તે ગુણ વડે ઉત્તમ બનવું જોઈએ. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. એ વાત પણ સંસ્કારથી સિદ્ધ થાય છે. માતાના આચારોની અને વિચારોની ગર્ભમાં રહેલા આત્મા ઉપર પ્રાયઃ અસર થાય છે. માતા જેવા પ્રકારના આહાર કરે છે તેવા પ્રકારની ગર્ભ
For Private And Personal Use Only