________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૩૧૧
સંવત ૧૯૬૮ ના જેઠ સુદિ ૧૨ સેમવાર. તા. ર૭ મી મે
૧૯૧૨. કા . જૈનધર્મસાધકાને ધર્મતત્ત્વની પ્રાપ્તિ માટે અન્યત્ર પરિભ્રમણ કરવાની જરૂર નથી. કારણ કે સર્વ કથિત શ્રી જૈનધર્મમાં કોઈ પણ બાબતની ન્યૂનતા નથી. જૈનધર્મના સિદ્ધાંત પરિપૂર્ણ સત્ય હેવાથી અન્ય ધર્મના સર્વાશે અપરિપૂર્ણ એવા સિદ્ધાંતોને આશ્રય લેવાની આવશ્યકતા સિદ્ધ કરતી નથી. જૈનધર્મસાધક દયાલુ બની જાય છે, અને તેથી તે દેશની પરતંત્રતા કારણભૂત થાય છે, આમ કહેનારાઓ જૈનધર્મને અન્યાય આપે છે. જૈનધર્મ માને કે આખી દુનિયા પાળે અને આખી દુનિયા દયાળ બની જાય તે મહાભયંકર યુદ્ધો કરવાને કોણુ શસ્ત્રોને સજજ કરે? આખી દુનિયામાં દયાને તત્વથી શાતિ ફેલાવનારા જેને પ્રકટે તે આકવર્તને દુઃખ આપવા કોઈ પણ દેશ તૈયાર થાય નહિ. તેમજ જૈનધર્મમાં મુખ્યતાએ ગણાતી એવી દયાની ઉપાસના કરનારાઓ અન્ય દેશને સ્વાબુદ્ધિ વડે પરતંત્રતાની બેડીમાં નાંખવાને માટે તૈયાર થઈ શકે નહિ. જેને ધર્મમાં કથેલી ઉદાર દયાને પ્રચાર કરવાને માટે જે પ્રયત્ન કરે છે તેઓ અમુક અંશે જૈનધર્મમાં કહેલા માર્ગનુસારિગુણના ઉપાસક બને છે, અને તે બે જૈનધર્મની આરાધનાસમ્મુખ થતા જાય છે. જેને ધર્મમાં ઉતમ આચાર અને વિચારે જણાવ્યા છે. જેનાગોમાં અપૂર્વ લિસેલી છે. જે મનુષ્ય નાગનું પરિપૂર્ણ સંશોધન કરે છે તેઓ જૈનતત્ત્વોની અપૂર્વ ખૂબીઓ સમજી શકે છે. જેનાગોને અભ્યાસ કરનારાઓ સાયન્સવિઘા ઉપર સારું અજવાળું પાડી શકે છે. જેનાગોનાં સમ્યગુરીયા પરિપૂર્ણ અધ્યયન કરનારાઓ જે સાયન્સવિધા તરફ લક્ષ્ય આપે તે તેઓને સહેજે જણાય કે સાયન્સવિદ્યાએ અદ્યાપિ પર્યત જે શોધી કહાડયું નથી તેને સર્વદષ્ટિથી શ્રીવીતરાગ સર્વ પૂર્વે હજાર વર્ષ પહેલાં કહ્યું છે. કેટલાક જૈને જેનાગમનું સમ્યગૂરીયા પરિપૂર્ણ જ્ઞાન કર્યા પહેલાં જૈનધર્મમાં ખામીઓ કાઢવા દેઢચતુર બને છે પણ જે તેઓ ગુરૂગમપૂર્વક જૈનશૈલીના અનુસાર યથાનુક્રમથી જન ધર્મશાસ્ત્રને અભ્યાસ કરશે તે જૈનધમ અપૂર્વ ખૂબીઓથી ભરપૂર છે એમ તેમને લાગશે,
For Private And Personal Use Only