________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
૩૭
-
આ
જે જેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવને જોઈ શકતા નથી, તે જેને જેના શાસનને વિજ્ય વાવટા ફરકાવવાને શક્તિમાન થતા નથી. જેનશાસનની જેઓના હૃદયમાં ઉંડી દાઝ છે. તેઓ હઠ કદાગ્રહને ત્યાગ કરીને જર્નાનું ભિલું કરવા અને સંપ વધારવા સદાકાલ પ્રયત્ન કરે છે.
સંવત્ ૧૯૬૮ જેઠ શુદિ ૭ ગુરૂવાર તા. ર૩ મી મે ૧૯૬ર વસે.
પરોપકાર, સ્વાર્થ ત્યાગ, દાન આદિ સદ્દગુણો જેનામાં હોય છે, તે ઉત્તમ મનુષ્યો ગણાય છે. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલાજ કંઈ ઉત્તમ મનુષ્ય હેતા નથી. જે મનુષ્ય અન્યોનાં દુઃખ દેખીને તેઓને સહાય આપતા નથી, અન્ય મનુષ્યને સારી સલાહ આપી શકતા નથી, પિતાની પાસે જે જે વસ્તુઓ હોય છે તે તે વસ્તુઓનું જગતના શ્રેય માટે દાન કરી શકતા નથી, અન્ય લોકોને નીચ ગણુને ધિક્કારે છે, તેઓ ઉચ જાતમાં ઉત્પન્ન થયેલા હોય તે પણ તે મોટા ગણી શકાય નહિ. જે મનુષ્ય મોટા મોટા ફેસરે, પ્રીન્સીપાલ અને આચાર્યો બન્યા હોય પણ જેઓ દયા, દાન, પરોપકાર, સાજન્ય, ઉદારભાવ, સહનશીલતા, સંતોષ, શુદ્ધ પ્રેમ, મીઠી વાણી, સદાચાર વગેરેથી દૂર હોય છે તે તેઓ વસ્તુતઃ ઉપર્યુક્ત ગુણોવાળા સાધારણ મનુષ્ય કરતાં પણ ઉચ ગણાય નહિ. એક ગરીબ મનુષ્ય નીચ કામમાં જન્મ્યા છતાં મહિને સો રૂપિયા રળે છે. તેમાંથી પચીશ રૂપીયા ઘર ખર્ચ પેટે રાખીને પંચતર રૂપીયા જગતના જીવને કેળવવા, ગુણું બનાવવા, દુઃખ ટાળવા, અને સગુણાની મૂર્તિ બનાવવા ખર્ચે છે. અને એક ઉચ્ચકુળમાં જન્મેલે લાખો રૂપિયાને ભાલીક અને વાર્ષિક પચ્ચીસ હજારની આવક છતાં પાંચ હજાર રૂપિયા પણ જગતના જીવોના કલ્યાણ ખર્ચત નથી. તેવા ઉચ્ચકુલમાં જન્મેલા લક્ષાધિપતિ કરતાં પેલે નીચ કેમમાંજ જન્મેલો પારમાર્થિક કૃત્યમાં જીદગી અને લક્ષ્મી ખર્ચનાર વિશેષ શ્રેષ્ઠ જાણુ. મનુષ્ય ફકત એક ઉચ્ચકુલમાં અભ્યા એટલા માત્રથી શ્રેષ્ઠ ગણાતો નથી. પણ ઉત્તમ ગુણા, ઉત્તમ આચારો અને ઉત્તમ કૃત્યો જે કરે છે, તે ગમે તેવા કુલામાં જ હોય છે તો પણ તે
For Private And Personal Use Only