________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨91 ---------- . -~~-~~-~-~-~રૂ૫ ગંગા નદી ખરેખર જેઓના હૃદયમાં વહે છે તેનામાં પાપરૂપ મેલા રહી શકે નહિ. અધ્યાત્મરસની શીતલતા ખરેખર આન્તરિક સર્વ પાપોને કરવા માટે સમર્થ થાય છે. આખી દુનીઆમાં અધ્યાત્મજ્ઞાનના વિચારે ફેલાવવાથી મનુષ્ય આમિક આનન્દ સન્મુખ ગમન કરવા શક્તિમાન થાય છે. અધ્યાત્મજ્ઞાન રૂ૫ સૂર્યકિરણોથી અહેમમત્વરૂપ બરફના પહાડ ક્ષણ માત્રમાં આંગળી જાય છે. અને આત્મારૂપ આકાશમાં શોક ચિંતાઓનાં વાદળાં પણ રહી શકતાં નથી. નિત્ય જ્ઞાનપ્રકાશના ઉદયવાળો આત્મા છે. આત્માનું જ્ઞાન કરીને આત્મધર્મમાં પરિણમવાથી આત્માને આનન્દરસ પ્રકથા વિના રહેતો નથી. દુનિયામાં મરજીવા થઈને આત્માના આનન્દરસનું પાન કરીને આત્મભાવે જીવવું જોઈએ. આત્માના આનન્દરસનું પાન કરનારાઓ જે કંઈ કરે છે, બોલે છે તેમાં સાધ્યશન્યદષ્ટિ હતી નથી. આમાને આત્મરૂપે જાણવાથી સહજાનન્દ રસ પ્રાપ્ત કરી શકે છે. અનેક મહાત્માઓએ પાતાળ કૂવાની સેરોના જે ઇન્દ્રિયાતીત આત્માનંદ પ્રાપ્ત કર્યો. વર્તમાનમાં પણ તે અમુક અંશે પ્રાપ્ત થાય છે. આધ્યાત્મજ્ઞાનથી, પરમાત્માના જેવું નિત્ય સુખ આસ્વાદી શકાય છે. અને તેવું સુખ ખરેખર આત્મામાં છે. ત્યારે હવે તેને માટે બહિરુ કેમ ફાંફાં મારવા જોઈએ. અલબત ! ફાંફાં ન મારવાં જોઈએ.
સંવત્ ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૨ રવિવાર. તા. ૧૪ એપ્રિલ ૧૯૧ર.
અધ્યાત્મજ્ઞાનથી વિશાલ દષ્ટિ થાય છે. અને તેથી ધાર્મિક આદિ અનેક ક્રિયાઓની વિભિન્નતાઓ છતાં પ્રત્યેકમાંથી સત્ય રહસ્ય સમ્યગરીયા આકળી શકાય છે. દરેક આચાર્યોના વિચારોનું સાધ્યબિંદુ કયું છે તે અવબોધ્યા સિવાય તેઓની ભિન્ન ઉપદેશ શ્રેણિના પુસ્તકોના વાચનથી પસાર થવું મુશ્કેલ છે. સંકુચિતદષ્ટિને વિશાલદષ્ટિના રૂપમાં ફેરવી નાંખવી હોય તે અધ્યાત્મશાસ્ત્ર આદિ અનેક શાસ્ત્રને વાંચીને દરેક ગ્રન્યકર્તાઓના આશયને શોધી કહાડવા જોઈએ. સર્વ જાતનાં પુસ્તકોમાંથી સાર ભાગ ગ્રહણ કરવાની શક્તિને પ્રાપ્ત કરવી જોઈએ. હાલને જમાને પણ ગુણ રામદષ્ટિથી દરેકમાંથી સારભાગ ખેંચવાનું શિખવે છે. દુનિયા ૨૫
For Private And Personal Use Only