SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૮૬૮ ની સાલના વિચારે. ૨૩૯ કાર્યોમાં મચ્યા રહેવું જોઈએ જેન ધમની વૃદ્ધિ માટે પ્રશસય પ્રેમ, ભકિત ઉત્સાહ અને જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરીને પિતાની શક્તિ અનુસારે જૈનોએ ધર્મસેવા કરવી જ જોઈએ. સંવત્ ૧૯૬૮ ના ફાગણ વદિ ૧૧ ગુરૂવાર તા. ૧૪-૩-૧ર પાદરા, નૈગમનયની અપેક્ષાએ ધર્મનો પ્રચાર કરવામાં આવે તે ઘણું અને જ્ઞાની લો કે પણ જૈનધર્મને સન્મુખ થઈ શકે. નૈગમનય અને વ્યવહાર નયની અપેક્ષાએ જૈનધર્મ પાળનારાઓ ઘણું થઈ શકે. રૂજુસૂત્રનયની અપેક્ષાએ તે બે નવ કરતાં ધમ પાળનારા ન્યૂન થઈ શકે. રૂજુસૂત્રનય કરતાં શબ્દનયની અપેક્ષાએ જૈનધર્મની સંખ્યા ઓછી ગણી શકાય. શબ્દનય કરતાં સમભિરૂઢનયની અપેક્ષાએ ધમઓની સંખ્યા ન્યૂન છે. સમધિરૂઢનય કરતાં એવંભૂત ની અપેક્ષાએ ધર્મીઓની સંખ્યા ઘણું ઘેાડી છે. હાલમાં નૈગમનય અને વ્યવહારનયની અપેક્ષાએ ધર્મ સાધનારાઓની સંખ્યા ઘણી છે. ઉપર ઉપરના નય કરતાં અધે અનયને અનુસરીને ધર્મ પાળનારાઓની સંખ્યા ખરેખર દુનિયામાં બહુ બહુતર દેખવામાં આવે છે. એકાન્ત રૂજુસૂત્રનયની અપેક્ષાને લઈ ઉત્પન્ન થએલ બૌદ્ધધર્મ પાળનારાઓની પચ્ચાસ કરોડ ઉપર સંખ્યા છે. એકાન્ત નગમનયને અનુસરીને ઇશ્વરને જગતકર્તા તરીકે માનીને ધર્મ પાળનારા મુસલમાનો અને પ્રીસ્તીઓ વગેરેની સંખ્યા આશરે અબજ ગણી શકાય. વ્યવહારનયને એકાન્ત સ્વીકારીને વહારિક પ્રત્યક્ષ સ્વીકારનારા નાસ્તિકોની સંખ્યા પણ ઘણું છે. એકાન્ત સંગ્રહનય માનીને બ્રહ્મનું જ એકલું અસ્તિત્વ સ્વીકારનારા અતવાદીઓની સંખ્યા કરોડો મનુષ્યોની છે. આમ એકાને એકેક નયને માનીને અન્યોને ઉત્થાપનારાઓની સંખ્યાને હિસા ગણા. સાત નોની સાપેક્ષ એ ધર્મને માનનાર જૈનેની ત્રણે ફીરકાઓની સંખ્યા ભેગી કરીએ તો આશરે તેર લાખ મનુષ્યોની થાય છે. નાની અપેક્ષાએ ધર્મને જાણવામાં ઘણું સુક્ષ્મબુદ્ધિની જરૂર છે. તેવા બુદ્ધિવાળા મનુષ્ય વિના નિરપેક્ષનયધર્મમાં ઘણું મનુષ્યો દાખલ થઈ શકે છે. નૈગમનય અને વ્યહારનયની ઉથાપના કરીને નિશ્ચયનયની અપેક્ષાએ ધર્મ ચલાવવામાં For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy