________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ફાગણ વદિ ૪ ગુરૂવાર તા. ૭-૩-૧૯૧ર પાદરા.
અનેક પ્રકારની ભાષાદિની પંડિતાઈ મેળવીને જે મનુષ્ય ગર્વ ધારણ કરે છે તે મનુષ્યત્વને યોગ્ય નથી. અન્ય મનુષ્યની ગમે તે રીતે હલકાઈ કરીને પિતાને ઉત્કર્ષ કરવાને માટે જે પ્રયત્ન કરે છે. તે અસ્ત થતા દીપકના નેજની ઉપમાને ધારણ કરે છે. જેઓના મનમાં અને ઉત્કર્ષ સહન થતું નથી તેઓની પંડિતાઈમાં ધૂળ જાણવી. અધ્યાત્મ યોગમાં રમણતા કરનારની બાહ્ય વિદ્વત્તા સફળ થાય છે. પ્રશસ્યપ્રેમમય જેની દષ્ટ બની નથી તેની આંખમાં દેષને વિકાર ક્ષણે ક્ષણે ઉત્પન્ન થયા કરે છે. પિતાના આત્માના જ્ઞાનાદિગુણો પ્રકટાવવાની ઇચ્છા જેના મનમાં થઈ નથી તે મૂઢ છવધ્યાને પાત્ર ઠરે છે. જે શ્રાવકામાં શ્રાવકના એકવીશ ગુણ આવ્યા નથી અને ભાવ શ્રાવકનાં સત્તર ગુણ આવ્યા નથી તેઓએ સાધુઓ વગેરે અન્યની નિંદામાં ન પડતાં ઉપર્યુક્ત ગુણોને પ્રાપ્ત કરવા જોઈએ. સાધુઓએ પિતાના આચારો અને સુવિચારોથી પૃથ્વીને શોભાવવી જોઈએ. ઉત્તમ ચારિત્ર વિશિષ્ટ મનાવસ્થાથી પણ અન્ય મનુષ્પા૫ર ચારિત્રની જે અસર કરી શકાય છે તે ઉત્તમ ચારિત્ર વિહીન દશા વિશિષ્ટ ચારિત્રપદેશથી કદિ અસર કરી શકાતી નથી. મૌન રહીને પણ સદ્દગુણોને જે ઉપાર્જન કરે છે, તેઓના ગુણોની સુપાસના બેલ્યા વિના સર્વત્ર પ્રસર્યા કરે છે. લોકોમાં કીર્તિ વધે વા અમુક પ્રકારના સ્વાર્થની સિદ્ધિ હા મારું નામ પ્રખ્યાતિમાં આવે ઇત્યાદિ અપ્રશસ્ય ઇચ્છાઓનો ત્યાગ કરીને ઉત્તમ ચારિત્રમાં પ્રયત્ન કરવાથી કોને સન્માર્ગે વાળી શકાય છે. કેટલાક નહિ બોલનાર અને ઉત્તમ ગુણ ચારિત્ર ધારણ કરનાર મનુષ્યને દેખીને ઘણું લોકો પોતાની મેળે તેવા પ્રકારના ઉચ્ચ ચારિત્રગુણી થવાને માટે પ્રયત્ન કર્યા કરે છે. ઉત્તમ ચારિત્ર હોય અને ઉત્તમ ઉપદેશ દેવાની શક્તિ હોય છે તો દૂધમાં સાકર ભળ્યા જેવું થાય છે. અહંકાર ત્યાગીને પંડિતપણું પ્રાપ્ત થતાં ઉત્તમ સગુણમય ચારિત્રમાર્ગમાં યત્ન કરીને વિદ્વત્તાની સફલતા કરવી જોઈએ. બહુ બેલવા કરતાં થોડું બોલીને પિતાના ગુણવડે અન્યોને ઘણી અસર કરવી જોઈએ.
For Private And Personal Use Only