SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 29 www.kobatirth.org સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે. સાંવત્ ૧૯૬૮ ફાગણ સુદ ૮ સામવાર તા. ૨૬-૨-૧૯૧૨ પાદા. જે ઉત્તમ શ્રાવક હોય છે તે દ્રવ્ય શ્રાવકના એકવીશ અને ભાવ શ્રાવકના સત્તર ગુણી પૈકી અમુક ગુણ વડે તા અલ કૃત હોય છે. નીતિના સા જેના આચારમાં અને વિચારમાં છે તે શ્રાવક કહેવાય છે. માર્ગો તુસારિના ગુણા વડે શ્રાવક જગતમાં શૈાભી શકે છે. પરમા બુદ્ધિથી પાપકારનાં કાર્યો કરીને શ્રાવક પોતાનુ જીવત દૃષ્ટાન્તીભૂત કરે છે. ધર્મોનાં રહસ્યા સમજવા માટે સદ્ગુરૂના ઉપદેશનુ પાન કરે છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કયાલક્ષણુ એ પાંચ પ્રકારના સ્વાધ્યાયને પેાતાના અધિકાર પ્રમાણે કરે છે. વ્રતાથી અને વિશાળદષ્ટિથી અન્ય ધર્મ પાલક મનુષ્યાની પ્રશંસાને પાત્ર બને છે. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચારે વર્ગનું આરાધન કરે છે. પોતાના સદ્વિચારાને સર્વત્ર ફેલાવા કરે છે, મૈત્રી, પ્રમાદ, માધ્યસ્ય અને કારૂણ્ય આ ચાર પ્રકારની ભાવના વડે પેાતાના આત્માને ક્ષણે ક્ષણે શ્રાવક ઉચ્ચ કરે છે. જ્ઞાનને સમજીને સત્ ક્રિયાઓને આચારમાં મૂકે છે. સાધુઓ પર જે પૂજ્યભાવને ધારણ કરે છે. અને શ્રાવપર ભક્તિભાવને ધારણ કરે છે, અને જૈનેતર મનુષ્યા પર્ કરૂણાભાવને ધારણ કરે છે વા મધ્યસ્થભાવને ધારણૢ કરે છે તયા સદ્ગુણાથી ઉચ્ચ બનનાર મનુષ્યાપર પ્રમાદ ભાવને ધારણ કરે છે, અને દુર્ગુણા ગ્રહીને પડનાર જીવેા પર કણાભાવ ધારણ કરે છે, વિવેકદૃષ્ટિથી તે સર્વ બાબતના વિચાર કરે છે, ગુરૂની સેવા-ભક્તિથી તે પેાતાના આત્માને નિર્મલ કરે છે, સંસારરૂપ કેદખાનામાંથી છુટવાને માટે તે પ્રયત્ન કરે છે, શાન્તરસ વડે તે આત્માને પોષે છે પેાતાના સમાગમમાં આવનાર મનુષ્યાની ધદૃષ્ટિ ખીલવવા પ્રયત્ન કરે છે. સાધ્વર્ગ અને સાધ્વીવની વૃદ્ધિ થાય એવા ભક્તિભાવ ધારણ કરે છે, વકૃત્યમાં શૂર બને છે, અને પાપકૃત્ય કરવ માં ભીરુ બને છે, કાઇના હતા વા અતા દાણાની નિન્દા કરતા નથી, ધર્મ જ્ઞાનને ફેલાવા કરવા પ્રયત્ન કરે છે. સાધુ્રવર્ગ અને સાધ્વી વર્ગને આહારાદિ દાન આપીને પેાતાના આત્માની શુદ્ધિ કરે છે. X * * Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only * ૨૨૫
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy