________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
(૬૭
તેમાં જૈન અને જૈનાચાર્યોની દીર્ઘ દૃષ્ટિનો વા વિશાલ દૃષ્ટિને વા આત્મબળનો વા ઉદાર વિયારનો અભાવ અથવા આત્માને ભેગવવાનું સામર્થ્ય ઘટયું હોય એમ દેખાય છે. જૈન ધર્મને રાજકીય ધર્મ બનાવવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવથી આચારો તથા વિચારો કરવાની જરૂર પડે છે. જમાનાને નહિ ઓળખનારાઓ આવા વિચારોને ક્યાંથી કરી શકે ? જે કરી શકે છે તેવા જૈન અલ્પ છે તેથી સમુદાયમાં તેઓનું જોર પ્રવર્તતું નથી.
સંવત ૧૯૬૮ મૃગશીર્ષ શુદ ૧૫ ને રવિવાર, તા૩ જી
ડીસેમ્બર ૧૯૧૧. મુંબાઈ. નિતિક વ્યવહારની આચરણું આદર્યા વિના આર્ય દેશમાં જન્મેલાઓ પણ સત્ય આર્યવથી વિભૂષિત થતા નથી. નૈતિક વ્યવહારબદ્ધ રાજ્ય બંધારણથી આંગ્લ લે કોએ ભારતભૂમિનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે. નૈતિક વ્યવહાર પ્રમાણે વર્તવાને માટે ઉત્તમ જ્ઞાન વિના એક પગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી. ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક ઉત્તમ વિદાતેના ઉમે કન્યાનું વાચન જોઈએ, જે દેશમાં નૈતિક વ્યવહારની શિથિલતા થાય છે. ત્યાંના મનુષ્યમાં અશાતિને પ્રવેશ થાય છે. નિતિક વ્યવહાર વિના એક બીજા દેશના મનુષ્યો પરસ્પર સંપની સાંકળમાં જઇને રહી શકતા નથી. બ્રિટિશ રાજ્ય બંધારણમાં નૈતિક વ્યવહાર પ્રણાલિકા વિશેષતઃ દેખવામાં આવે છે. જેને ધાર્મિક વ્યવહાર બંધારણમાં પણ સર્વ ગછીય મનુષ્યોને સાંકળના આંકડાની પેઠે એક સાથે રહેવામાં નૈતિક વ્યવહાર બંધારણ ઉત્તમ બાંધવામાં આવે તે જૈનો ઉદય થાય!
સંવત્ ૧૯૬૮ મૃગશીર્ષ સુદિ ૧૩ સેમવાર.
તા. ૪-૧૨-૧૯૧૧. મુંબાઈ પરમાત્માને સજાવવામીજી એ પદથી સ્તવવામાં આવે છે. પણ સ્તવનકારે સાગરની પેઠે ગંભીર એ પરમાત્માને ગંભીર ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રાવકપણું પ્રાપ્ત કરવામાં પણ એકવીશ
For Private And Personal Use Only