SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. ૧૫૫ ઉત્તમ વિચાર ગમે તે યોજનાઓ અને ગમે તે રૂપાન્તરે ગમે તેની પ્રેરણાથી સિદ્ધ થાઓ ! લખેલાં અને છાપેલાં સર્વ જૈન પુસ્તકોને ઉત્તમ ભંડાર કરવાથી જૈન શાસનની ઉન્નતિ થાય તેમ છે. જૈન ધર્મનો ફેલાવો કરવાની અત્યન્ત આવશ્યકતા છે. જૈન શાસ્ત્રને પ્રસાર કર્યા વિના જૈનધર્મને વિસ્તાર થવો અશક્ય છે. જૈન સાધુઓના ઉપદેશથી જૈન ધર્મની વૃદ્ધિ થવાની છે. અએવ જૈન સાધુઓને પઠન પાઠન અને નવીન શિષ્ય કરવામાં સહાધ્ય કરવાની આવશ્યકતા છે. અદ્યાપિપર્યન્ત આત્મભોગ આપીને મુનિવરેએ જૈનધર્મનું રક્ષણ કર્યું છે, અને ભવિષ્યમાં પણ તેઓ કરશે. ગીતાર્થ મુનિવરે જેમ વિશેષ થાય તેવા ઉપાયે જવાની આવશ્યકતા છે. ગીતાર્થ મુનિવરે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી જૈનધર્મનું રક્ષણ અને તેની વૃદ્ધિ કરે છે. સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૫ શુક. તા. ર૭ મી ઑકટેમ્બર ૧૯૧૧. મુંબાઇ. ગૃહકલહ, રાજ્યકલહ અને કુટુમ્બાદિ કલહથી આર્યાવર્તની સર્વ પ્રકારે અવનતિ થઈ છે અને થાય છે. પ્રત્યેક મનુષ્યને પિતપતાના અધિકાર પ્રમાણે ચારિત્ર બળની આવશ્યકતા છે. પતિ પિતાના પતિરૂ૫ ચારિત્રને ઉચછેદે તે ભવિષ્યમાં અને વર્તમાનમાં સ્વકીય અને પરકીયની અવનતિ કરનારો સ્વયમેવ બને છે. પતિવ્રતા સ્ત્રી સ્વકીય પતિવ્રતા ધર્મરૂપ ચારિત્રબળથી ભ્રષ્ટ થાય છે તે, તેનાથી સ્વપરાવનતિનું મૂળ રોપાય છે. અને તેનાં કફળો દીર્ઘકાલ પર્યત ભવિષ્યની પ્રજા પણું સ્વાદે છે. એવું નપતિ, સાધુ, પિતા, માતા, પુત્ર, શિષ્ય, શેઠ, નોકર અને પ્રધાન વગેરે પિતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. તો તેઓ સ્વ અને પરની અદા કરી મૂકે છે. શિષ્યો પિતાના શિષ્યધર્મને વિસ્મરીને ઉન્મત બની ગુરૂની આજ્ઞાને ભંગ કરે છે, અને ગુરૂને વિશ્વાસઘાત કરે છે, તો તેઓ પિતાની મેળે ભવિષ્યની શિષ્ય સંતતિનું શિષ્યધર્મચારિત્ર ભ્રષ્ટ કરે છે. શરૂ, વેશ્યા, જુગાર, ચેરી, ૫રદાર સેવા વગેરે વ્યસનથી મનુષ્યનું ઉત્તમ ચારિત્ર ભ્રષ્ટ થાય છે, અા મનુષ્ય તેને દોષ અન્યને અર્પે છે, તે અયોગ્ય છે. સંસાર વ્યવહા For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy