SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ ધર્મકર્મ વર્ણ વિચાર. આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થએલ મનુષ્યોને આર્ય ગુણોની સંપ્રાપ્તિ ખરેખર અનાર્ય ક્ષેત્રો કરતાં વહેલી થાય એ સર્વથા સર્વદા સર્વ રીતે સંભાવ્યમાન છે. આર્ય ક્ષેત્રની વાડ સમાન ક્ષત્રિય અને આર્યક્ષેત્રમાં જ્ઞાન વિસ્તારનાર આત્મજ્ઞાનિયો અર્થાત આત્મરૂપ બ્રહ્મને જાણનાર બ્રાહ્મણો છે. આર્યક્ષેત્રમાં વ્યાપારિક આદિ વ્યવસ્થાને સંરક્ષનાર અને તદ્દકારા અન્ય ત્રિવર્ગીય મનુબેનું સંરક્ષણ કરનાર વૈશ્યો છે. સર્વ પ્રકારની સેવા ધર્મની પ્રવૃત્તિ કરનાર જ્ઞાનિશ છે. જ્ઞાન વિના ખરેખર વ્યાવહારિક તથા ધાર્મિક સેવા માર્ગ અવબોધી શકાતો નથી અને તેથી સેવાના જ્ઞાનના અભાવે સર્વ જીવોના કલ્યાણુર્થ સર્વ પ્રકારની સેવા કરે એવા મહાસેવકો ઉત્પન્ન થઈ શકતા નથી. વિશ્વના પાદ સમાન એવા મહાસેવકે સર્વ મનુષ્યોને પૂજ્ય છે. એવી ભાવના ઉત્પન્ન થયા વિના અને ઉંચ નીચને ભેદભાવ ટક્યા વિના વિશ્વમાં કે દેશ વા કે ધર્મના મનુષ્ય કલ્યાણસુખ પ્રાપ્ત કરવા અધિકારી બની શકતા નથી. હું ત્યાંથી મહંત વેગળા એવું નક્કી માનીને સર્વવર્ષીય મનુષ્યમાં પરમાત્મભાવ દેખીને સર્વના ભલામાં ભાગ લેવા સેવાધર્મ સ્વીકારવો એજ ઉન્નતિને મૂળ મંત્ર છે. મૃત્યુ અને સર્વ ભીતિયોને ભૂલીને આત્મશક્તિ સ્પરાવીને ગૃહસ્થ ચાતુર્વણિક મનુષ્યોને ઉચ્ચ કરવા અને તેઓના આત્માને પરમાત્મ રૂપે પ્રકટાવવા. ધર્મસેવકો તરીકે મહાપુરૂષોએ બહાર આવીને તીર્થંકરાદિ પદવીના ભોક્તા બનવું એ ધાર્મિક દ્રષ્ટિ સાધ્યબિન્દુએ ધર્મ કર્તવ્ય ખાસ વ્યવહાર માન્ય છે. जह जिणमयं पवजह ता मा ववहारनिच्छए मुयह । ववहारनउच्छेए રિન્યુ છે. આ મ િ ઇત્યાદિથી વ્યવહારનયની મહત્તા અવબોધીને ગૃહસ્થ ચાતુર્વણિક ધર્મકર્મ વ્યવસ્થા પ્રપત્તિને અવલંબ. સાધુ-સાધ્વી-- શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ મહાસંધ ખરેખર એક મહાવૃક્ષના ચાર સ્કંધવત શેભે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ એ ધર્મ વૃક્ષના ચાર સ્કંધરૂપ છે તેમાં સર્વને મૂળમાંથી બ્રહ્મરસ તે એક સરખો મળે છે. ચારવણે એ ચાર પ્રકારના મહાસંધ છે. પોતાના મૂળ તરફ લક્ષ રાખીને સ્કંધ ડાળાં અને પાંદડારૂપે પડતી મતમતાંતરની ભિન્નતાની ઉપેક્ષા કરી સર્વને પરસ્પર સાહાટ્ય આપવી. guપત્ર જીવાનામ્ એ મૂળ સૂત્રનું વિસ્મરણ કદાપિ ન કરવું જોઈએ. આત્માની અપેક્ષા સર્વ પ્રાણી એક સરખા છે. મનુષ્યત્વની અપેક્ષાએ સર્વ મનુષ્ય એક સરખા છે. પરસ્પર સર્વ પ્રાણીઓને અને સર્વ મનુષ્યોને સહાય કરવાની સુવ્ય For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy