SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિક. ૧૨૧ મુનિ ખરી ક્રિયા દેખાડનારા આવ્યા છે. ગામના વાણિયાઓએ મુનિજને કહ્યું કે આજ પ્રતિક્રમણ કરાવો. મુનિએ કહ્યું કે હું કરું તેમ કર્યા કરો. પેલા કપટી મુનિ જેમ કરવા લાગ્યા તેમ વણિકો કરવા લાગ્યા. છઠ્ઠી આવશ્યકતા અને પેલા કપટી મુનિને વઈ ( ફેફરું ) આવી તેથી આલોટવા લાગે. વાણિયાઓ પણ આલોટવા લાગ્યા. મુનિના મુખે ફીણ આવ્યું. વાણીઓએ ઘણી મહેનત કરી પણ ફીણ આવ્યું નહિ અને ક્રિયા પૂરી થયા બાદ કહેવા લાગ્યા કે “બાપજી ! થારે પડિક્કમ બહાત આછો હું. થાકું ફૅણ આયા.” મારૂં નહિ આયા એક દિવસે કાર્તિક પુનમે ગામની બહાર્ છાણ મથન ક્રિયા કરાવી. છાણના ઢગલામાં લાકડું ઉભું કરીને બને તરફના લોકો પાસે ખેંચાવ્યું. તે ઘડીમાં આમ જાય અને ઘડીમાં આમ જાય. વાણિયા બહુ ખુશ થયા અને કહેવા લાગ્યા કે આ સાધુ સાચે છે અને કર્મ ટાળવાની અમને ખરી ક્રિયા બતાવી. છેવટે પેલા કપટી સાધુએ કહ્યું કે વાણિયાઓ! તમે આ ઘારના ખીલા જેવા આમ તેમ ભમાવ્યાથી ભમી જાઓ છો. મેં તમને ખોટું ભરમાવ્યું છે અને છેવટે જવું છું કે તમે બકની પેઠે કપટી ક્રિયાના આડંબરે છે. કપટીઓ ક્યાં ભૂલો તમારા જેવા બાલને ભમાવે છે તેથી તમારી એક ગુરુ ઉપર શ્રદ્ધા રહેતી નથી. તમારી આગળ કપટી કલાવંત ઘટાટોપ કરનાર ફાવી જાય છે અને તમારી એક ગુરૂ ઉપર શ્રદ્ધા ગુરૂપણની પાકી ન રહેવાથી ધારના ખીલા જેવા બની જાઓ છો. તમે કદી કોઇના થયા નથી અને તમારા ઉપર ગુરૂનો વિશ્વાસ રહેતો નથી અને ખરી શ્રદ્ધા વિના તમારું કલ્યાણ થતું નથી. नारद जेवानी वातपर विश्वास न मूकवो जोइए. નારદવેડા કરીને પરસ્પર લડાવી મારનાર મનુષ્યનું કદી કલ્યાણ થતું નથી. એક બીજાને આડું અવળું ભમાવીને પરસ્પર કલેશ કરાવનારા મનુષ્યોનો કદિ વિશ્વાસ ધારણ કરવો નહિ. ભદ્રક મનુષ્યોને કળાબાજ મનુષ્ય લડાવી મારે છે તેના ઉપર એક દષ્ટાંત નીચે મુજબ છે. Bત વધ. વિદ્યાપુર નામના નગરમાં ચન્દ્રસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં રૂષભદાસ નામના શેઠ અને ચંપા નામની શેઠાણી વસતાં હતાં અને એક બીજા ઉપર પ્રેમ તથા વિશ્વાસ સારો હતો. પુરૂષ અને સ્ત્રી આનન્દમાં જીવન ગાળતાં હતાં. કોઈ દિવસ અંશ માત્ર પણ કલેશ થયો નહતો, એ ખરેખરે પ્રેમ અને સંપ છે. રાજાની મંડળીમાંના એકે કહ્યું તે બેની વચ્ચે - 1.6 For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy