SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ નૈતિક. 1 1 1 11 " -"- * . . . * * * * * * * * * * * * * * * * * * * * * જોઈએ? શાન્તિદાસે કહ્યું પ્રજાના વિચારોની સમ્મતિ લેવી જોઈએ. બ્રિટીશ સરકારની રાજ્ય પદ્ધતિએ રાજ્ય ચલાવવાની જરૂર છે. પ્રજાની સેવા અને પ્રજાની ઉન્નતિ અર્થે રાજા છે એમ સ્મરણમાં રાખવાની જરૂર છે. મારા સ્વતંત્ર વિચારે હું કહું છું તેમાં કંઇ ફેરફાર હોય તો પરસ્પર વિચારેની આપ લે કરવાની જરૂર છે. રાજા અને પ્રજાએ ભેગા મળીને પરસ્પર વિચારની આપ લે કરવી જોઈએ. રાજાએ શાન્તિદાસના સ્વતંત્ર વિચારો જાણીને તેને દિવાન નીમ્યો. આ ઉપરથી સમજવાનું કે હાજી હા કરવાની ટેવથી ખરેખર લાભ થઈ શકતા નથી. આગમના આધારે સત્યજ્ઞાનના પ્રકાશ લેઈ પિતાની અને પારકી ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો. ઠાઠમાઠ અને ઘટાટોપના કૃત્રિમ મંડળથી અજ્ઞ મનુષ્યોને પ્રપંચ જાળમાં ફસાવીને પિતાની સ્વાર્થ વૃત્તિને તૃપ્ત કરનારા મનુષ્ય પોતાના આત્માને છેતરે છે અને તેથી અને અવનતિનો માર્ગ ખુલ્લો થાય છે. વિશેષમતિ ધારણ કરનારાઓ સામાન્ય મતિવાળા મનુષ્યોને પોતાના વશ કરી શકે છે, પણ અતે તેથી પોતાનો અભ્યદય થતું નથી. મન, વાણી અને કાયાની શકિતયોને ખીલવવી હોય તો ડોળપણું ત્યાગ્યા વિના છૂટકો થવાને નથી. દરેક મનુષ્યની સાથે આર્યભાવથી વર્તવામાં આવે તેજ આર્યપણું પ્રાપ્ત થાય. वाणिया घारना खीला छे तेनुं दृष्टांत. વાણિયા ઘારના ખીલા છે. એવી કહેવત નીચે મુજબ સાંભળી છે. મારવાડમાં સાદડી ગામમાં એક ભેજક સાધુનો વેશ ધારણ કરીને ગયે. ગામની બહાર્ તે બયાન તથા કપટ ક્રિયા કરીને ઉત્તમ ચારિત્રનો ડોળ દેખાડવા લાગ્યો. વાણિયાઓ તેને ગામમાં લઈ ગયા. પ્રતિક્રમણ વખતે વાણિયાઓ આવ્યા. પ્રતિક્રમણમાં કાઉસગ્નમાં તેણે બે હાથ ઉંચા કર્યા. વાણિયાઓએ પૂછયું બાપજી ! બે હાથ ઉંચા કેમ કર્યા ? પેલા કપટી સાધુએ કહ્યું મુક્તિમાં જાણે હવે તે બે હાથ ઉંચા કરણ ઔર નરકમેં જાણે હવે તે બે હાથ નીચા કરશું.” વાણિયાઓએ વિચાર્યું કે અહીં આ મુનિ ઉત્તમ ક્રિયા કરનારા છે. ખરી ક્રિયા છે તેમણે બતાવી એક દિવસ એક શ્રાવકે મહારાજને કહ્યું કે નવકારવાળી ગણવાના નિયમ આપો. પેલા મુનિએ કહ્યું નવકારવાળી કહે તે સ્ત્રી હે જાવે. નેકારવાળો કહેણે ચાહિયે.સાધુ સીકો પાસ ન રાખે નેકારવાળી તે સ્ત્રી હે ગઈ, નેકારવાળીકુ સ્ત્રી કહે કર પાસે રખે તે દેષ લગ જાવે.” પેલા વાણિયાઓએ કહ્યું કે આ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy