SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઔપદેશિક. ૧૧૧ વાથી પશ્ચાત્તાપ કરવાનો વખત આવતો નથી. અન્યથા મદનીયાની મહાકાણ જેવું બને છે. દરેક વસ્તુનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે અને જે આચારમાં મૂકવાનું હોય તેનું તો અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. “પહેલું જ્ઞાન ને પછી કિરિયા” પદ ના તો રથ છે लघु बाळ जेवा साधुओ. એક વિદ્વાન પુરૂષને સમાગમ થયો. તેને મેં કહ્યું કે ખરા સતે ન્હાના બાળકના વિનોદી ચહેરા જેવા ચહેરાને ધારણ કરે છે. ન્હાના બાળકને જેમ સર્વ મનુષ્યો ચાહે છે તેમ સંપુરૂને સર્વ મનુષ્યો ચાહે છે. હાનું બાળક દુશ્મનને પણ પ્રિય ગણે છે તેમ સંપુરૂષો દુશ્મનને પણ પ્રિય ગણે છે. નાનું બાળક કોઇના ઉપર આ મારો શત્રુ છે એવી બુદ્ધિવાળું દેખાતું નથી તેમ સાધુઓ પણ કોઈના ઉપર શત્રુબુદ્ધિવાળા દેખાતા નથી. નાનું બાળક જેવું આનન્દમાં રમ્યા કરે છે તેમ સાધુએ પણ જ્ઞાનાનન્દમાં મસ્ત રહે છે. નાના બાળક ઉપર પ્રાયઃ સર્વ મનુષ્યો પ્રેમ ધારણ કરે છે તેમ સાધુઓ ઉપર સવ મનુષ્ય પ્રેમ ધારણ કરે છે. ન્હાના બાળકની ચેષ્ટાથી દુશ્મન પણું જેમ પીગળી જઈને દયા બને છે તેમ સાધુઓની ચેષ્ટાથી દુને પણ દયા બને છે. ન્હાના બાળકને નાત જાત ભેદભાવ હોતો નથી તેમ સાધુઓને પણ નાત જાતને ભેદભાવ હોતો નથી. હાના બાળકને અજ્ઞાનાનન્દ હોય છે અને ખરા જ્ઞાની સાધુઓ તો જ્ઞાનાનન્દમાં મસ્ત રહે છે. ન્હાના બાળકને ચિન્તાઓ-શેક વગેરે અલ્પ હોય છે તેમ સાધુઓને પણ જ્ઞાનના બળે ચિન્તાઓ શેક વગેરે રહેતાં નથી. ન્હાના બાળકમાં પ્રેમ હોય છે. સાધુઓમાં શુદ્ધ પ્રેમ હોય છે. હાળા બાળકને માતાના ઉપર વિશ્વાસ હોય છે. સાધુઓને પરમાત્મા ઉપર તથા ગુરૂ ઉપર વિશ્વાસ હોય છે. નેહાનાં બાળકે પિતાની વાત અને કહે છે તેથી તેમના બેલવા પર પ્યાર આવે છે. સાધુઓ પણ સરળ દિલથી અન્યોને ખરેખર ઉપદેશ આપે છે તેથી તેમના બોલવા ઉપર લોકોને પ્રેમ પ્રગટે છે. ન્હાનું બાળક પ્રેમથી અને સ્પષ્ટાચારથી અન્યનાં હૃદય આકર્ષે છે તેમ મુનિવરે પણ શુદ્ધ પ્રેમ અને સ્પષ્ટાચારથી લોકેાનાં હદય આકર્ષી શકે છે. બાલ્યાવસ્થામાં જે આનન્દ હોય છે તે અજ્ઞાન સહભાવી છે. સાધુની અવસ્થામાં જ્ઞાનાનન્દ યોગાનન્દ પ્રગટે છે. બાળકો મોટાં થાય છે ત્યારે તેમાં સં For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy