________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
૧૩૫
રૂપી મહાપો જાણે સરસ્વતી અને લહમીના મુકુટની ભેટ જ હોય નહી? એવા અદ્દભૂત એવં અદ્વિતિય છે.
દેવવન્દન સ્તુતિ સ્તવન સંગ્રહ-ગ્રંથાંક નં. ૫૯ પૃષ્ઠ સંખ્યા ૧૭૫. ભાષા ગુજરાતી. ક. ૦-૪-૦. રચના સંવત ૧૯૬૪ તથા ૧૯૭૮.
આ ગ્રંથ શ્રીમદે સં. ૧૯૬૪ માં રચ્યો છે જે એટલો બધો ઉંચા અધ્યાત્મજ્ઞાન અને રસભરપૂર બનાવ્યો છે કે અધ્યાત્મજ્ઞાનના મર્મજ્ઞ વાચક તે રચનાને શ્રી આનંદઘનજી વા શ્રી દેવચંદ્રજીની મહામેલી કૃતીઓ સાથે સહજ સરખાવી દે, અગર કર્તાનું નામ પ્રાંતે ન હોય તો પૂર્વકાલિન મહાન દ્રવ્યાનુયોગ જ્ઞાતાઓની જ કૃતિઓ માની લે. પ્રથમ વીશી સં. ૧૯૬૪માં અષાડમાં માણસાના ચોમાસામાં તથા બીજી ચોવીશી સં. ૧૯૬૫ માં ડાઈમાં ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજીની દેરીમાં ફાલ્ગની પૂર્ણિમાએ રચાઈ છે. માત્ર થોડાં જ સ્તવને બાવીસ (બીજું તેમનું સાહિત્ય ઉપલબ્ધ નથી) એ શ્રી આનંદઘનજીને ઓળખાવીને અમર કર્યા તેવાં ૪૮ કાવ્યોની શ્રીમદ્દની બે ચેવશીઓ આ ગ્રંથમાં મુખ્ય છે. જે બે ચોવીશીઓ પ્રથમ શ્રી સાણંદ જૈનોદય બુદ્ધિસાગર સમાજ તરફથી છપાઈ હતી ને હવે અપ્રાપ્ય બની છે. આ ગ્રંથ માટે કર્તાના પિતાના વક્તવ્યમાંથી છેડો ઉતારે ટાંકીશું :
“મનુષ્યને સર્વ કાંઈ પ્રાચીન કે વર્તમાનનું પ્રિય હોઈ ન શકે. સર્વ મનુષ્યની ભિન્ન ભિન્ન રૂચી છે. તેથી ભુતમાં અને વર્તમાનમાં ગમે તેવાં સ્તવનેની રચના કરેલી હોય અગર કરાય છે તો પણ તેઓ પોતાના યોગ્ય સ્તવનને પસંદ કરે છે. કોઈને દ્રવ્યાનુયોગનાં સ્તવન રૂચે છે, કોઈને સ્વામિસેવકભાવના અને તેમાં પણ અત્યંત પશ્ચાતાપ કરવામાં આવ્યો હોય એવાં સ્તવને રૂચે છે. કેઈને પ્રભુના બાહ્ય અતિશયવાળાં તે કઈને આંતર અતિશયવાળાં સ્તવને રૂચે છે. એમ ભિન્ન ભિન્ન દશાવાળા જીને ભિન્ન ભિન્ન સ્તવને રૂચે છે અને તે સ્વદશા-(આત્મસ્થિતિ)એ પસંદ કરે છે. એમાં તેમની સ્વરૂચની સ્વતંત્રતા છે. તે કેઈનાથી છીનવી લેવાય તેમ નથી. જેને જેમાં રસ પડે તે તે સ્તવને વિગેરેથી પ્રભુની ભકિત કરીને આત્માની શુદ્ધિ કરે. બાલ, મધ્યમ અને જ્ઞાની એમ મનુષ્યમાં ત્રણ દશાઓ પ્રકટે છે.”
“સ્તવને વિગેરે કર્તાનું હૃદય છે. ઉગારવાળાં વિ. માં તેના રચયિતાની દશા (આત્મસ્થિતિ)નું પ્રતિબિમ્પ પડ્યા વિના રહેતું નથી. સમાન દશા વાળાને સ્વહૃદય ભાવ સરખાં સ્તવને રૂચે છે. તેથી અમુક સારૂ વા નરસુ કહેવાને સાર્વજનિક દ્રષ્ટિએ કોઈને અધિકાર નથી. કલાભિર સ્તવન સાહિત્યમાં ભિન્ન ભિન્ન વિષયરૂચિ હોય છે. તેથી એક સરખે કાયદો સર્વને લાગુ પડતો નથી. ભાવનગરના રહીશ સુશ્રાવક કુંવરજીભાઈના પુત્ર પરમાનંદ, જે આવી દ્રષ્ટિએ સ્તવનેની પ્રિયતાનો વિચાર કરશે તો તેઓ અનેક દૃષ્ટિઓની અપેક્ષાનું સ્તવન સાહિત્ય સ્વરૂપ વિચારીને શાંત સાપેક્ષ દૃષ્ટિવાળા બનશે. પોતાની દ્રષ્ટિએ તે પસંદ પડે છે તે કાંઈ સર્વની દ્રષ્ટિ માટે નથી. પિતાને જે અપેક્ષાઓ સત્ય લાગે છે તે કાંઈ સર્વને સત્ય લાગે નહિ. તેથી પિતાને જે પ્રિય સત્ય ન લાગે તેનું ખંડન કરવા મંડી જવું તે એકાંત
For Private And Personal Use Only