________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
વાળાં પાથરી દે, તેવાં ભજન કેણ ગાઈ, આલેખી શકે ? અને એવા પ્રભુના લાલ હમેશાં પ્રકટતા નથી. એતો સેક પાકે કે બે સૈકે. બાકી સંતવિહેણું વિશ્વ તે કયાં રહ્યું છે? આ જડવાદના જમાનામાં પણ સંતો વિચરે છે જ ને ? ભજનો, ને તે પણ તલસ્પષી લખવા તેવા તપત્યાગતિતિક્ષા સંયમ શમતા સમભાવ વૈરાગ્ય યોગાભ્યાસ અને વિશાળ ગ્રંથાવલોકન, તત્વજ્ઞાન રમણતા અને અધ્યાત્મજ્ઞાનાનુભાવની જરૂર પડે છે. જીવન જ એવું ઘડાય કે તેમાંથી ઉત્કટતા આપોઆપ સરી પડે. એ વદ્યા તે જડ ન પણ ચેતન હોય છે, ને વાણી પણું જીવતી અને લખનાર પણું ચેતન હોય છે. જીવનમાં ઓતપ્રોત થયેલાં પરમ તો જ અંદર બેઠે બેઠે પિકારી ઊઠે છે ને તે શ્રોતાને અજબ રસમસ્તીને આનંદ આપે છે. ભજનને સંપ્રદાય બાંધી શકતો નથી. નર-નારી-વૃદ્ધ-યુવાન ગરીબ-તવંગરને ભેદ ભજનને
સ્પર્ષત નથી. ભજન તે સૌનું કલ્યાણકારી વશીકરણ ગણાય, રસાયણ ગણાય તે પશ જેવાને પણ માણસ બનાવે, માનવને દેવ ને દેવને જીવનમુક્ત બનાવી મોક્ષ અપાવે. ને તેને માટેનાં અનેક દષ્ટાંતો નરસિંહ, મીરાં, તાળીરાણી, આનંદઘનજી, ચિદાનંદજી, કબીર આદિનાં છે જેમાં ભજનેએ ખરેખર પારસનું કામ કર્યું છે. અજ્ઞાન અંધ એવા માનવને જ્ઞાનચક્ષુ આપ્યાં છે. માનવતા આપી છે. એનું નામ ભજન. આવાં ભજનની અમો વાત કરીએ છીએ. ને એવાં ભજનીક ભજન લખનાર, ભજન લલકારમાં હમણાં જ થઈ ગયેલા પણ પૂર્વના અવધૂતને યાદ કરાવનાર, યેગાવતારી શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું નામ મોખરે આવે છે. એ અલખમસ્ત ઓલીયા અવધૂતે જીવનને જ્ઞાન, વૈરાગ્ય તપત્યાગ યોગ અને અધ્યાત્મજ્ઞાનથી એવું તો રંગી નાખ્યું કે એમના હૈયાની કુંજે રહેલો મનમોરલો ટહુકી ઉઠયા–
ભયે હમ આતમ મસ્ત દિવાના, દુનિયાકી હમકુ નહિ પરવાહ
સબ જગ નાટક માના ભયે હમ. દુનિયા, દુનિયાદારી, ને તેની અસલીયાત જોઈ જાણી અનુભવી ઘોળીને પી ગયેલા આ દુનિયાની પરવા ત્યજનારને કોણ પિછાને ? કહે છે કે –
હમ જાનત અવધૂતયોગી, કઈ અનુભવ જ્ઞાતી. Pદ્ધ રહી ત્યાગી જાનત જન તહૈ કોઉ ધ્યાન,
હમકુ જાનત. એ મસ્ત સંત પુરુષને મુકિત-સંસાર સમાન લાગે. એ તે અલખનિરંજનમાં ખેલનાર યોગી; મન મારી મરી ગયેલા મરજીવા. પિતાના અંતિમ લયને સચોટપણે સાધવામાં દત્તચિત્તએમને તે
મુકિત સંસાર દયસમગણે, સમગણે કનક પાષાણ રે. એવા જ્યારે સદેહે વિચરતા હોય છે ત્યારે ભાગ્યે જ પ્રાકૃત માનવે તેમને પિછાને છે. તેઓ તે પિતાનું મીશન લઈને આવ્યા હોય છે. મીશન પૂર્ણ કરી ચાલ્યા જાય છે. ગુરૂદેવ ભારતવર્ષના ઝંખવાતા જતા યુગ અને અધ્યાત્મવિદ્યા, ને પુનઃ ચેતનવંત બનાવવા આવેલા. તેઓ તે કહે છે કે –
For Private And Personal Use Only