________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ચના સંવત ૧૯૬૮, પોષ વદ ૫, ભાષા ગુજરાતી.
મહાન આધ્યાત્મિક, યોગીશ્વર, અનેક શાસ્ત્રોના જ્ઞાતા મસ્ત અવધૂત. જેન જૈનેતર સમાજમાં સૈકાઓ થયા જાણીતા શ્રીમદ્ આનંદઘનજીનાં શતાધિક સ્તવન તથા વીશી વિગેરે પદોનાં વિવેચનો, જે તેમની યાદી કરાવે તેવા આયામિક-યોગ-મસ્તદશાવાળા પંડિત પ્રવર કીવર શ્રી મદ્ બુધિસાગર સુરીજીએ લખ્યાં છે, અને પ્રાચે તેમનાં બધાં જ સ્તવનોનાં ટીકા-વિવેચન કરનાર શ્રી સુરીજી એકલા અને પહેલા જ છે.
આ સ્તવનો ચોવીશીનાં વિવેચનો કે પૂવચા માત્ર ચોવીસીનાં જ તે કવચિત્ કઈ સાધુ મહારાજે ૩૪ સ્તવનેનાં એમ પ્રથક પ્રથફ કર્યા સંભળાય છે. શ્રીમદને બધાં જ પદ પર વિવેચન લખવા વિનંતી કરવામાં આવતાં આ ભગીરથ કાર્ય તેમણે ઉપાડયું હતું.
રગે રગે અધ્યાત્મનો રંગ લાગ્યો હોય, શાસ્ત્રનું દ્રવ્યાનુયોગનું, યેગનું સ્વરૂપ જાણ્યે અનુભવ્યું હોય ખૂબ સત્સંગ થયા હોય, અને વિરમી ગયેલા આત્માને ખૂબ શાંતિ હેય, તે જ આવાં વિવેચનો સાધ્ય બની શકે. આ અતિ શ્રમ સાથે વિરાટ કાર્ય ગણાય. હવે આજના ધમાલી મા, વિષમ જડવાદો જમાનામાં મુંબઈ જેવા અતિ પ્રવૃત્તિવાળા (શ્રીમદ્ના શબ્દોમાં) ઉપાધિનગરમાં તેમણે આ કાર્ય ઉપાડયું હતું. - સં. ૧૯૬૭ ના મહા સુદ ૧૫ ના રોજ મુંબઈમાં પ્રવેશ થયો, અને વશાખ સુદ ૧ ના રોજ આ પદને ભાવાર્થ લખવાનો પ્રારંભ થાય છે.
શ્રીમદ્ આનંદઘનજીનાં પદોનો પરિપૂર્ણ ભાવાર્થ તો તે પોતે જ જાણી શકે. અર્થાત તેમના વખતના દેશકાળના સંયોગો અને આત્મપરિણતી યોગે નીકળેલા પદરૂપ ઉભરાઓનો લયાર્થી પરિપૂર્ણ જાણવાની અશકયતા છે. તો પણ અધ્યાત્મના પરિશીલનથી અને આત્માના ધ્યાન પ્રતાપે તેમના વિચારોની દિશામાં ભાવાર્થ લખી શકાય એમ શાસ્ત્રોના પરિશીલનથી બનવા ગ્ય છે. શ્રીમદ્ભનાં પદોની ભાષા હિન્દુસ્તાની ભાષાને મળતી છે. તેઓ વ્રજ-મારવાડી --ગુજરાતી હિન્દુસ્તાની ભાષાના જ્ઞાતા હતા. ગુજરાત, મારવાડ વિ. દેશોમાં વિચરતા તેમજ તે વખતના કવિઓ જ ભાષામાં લખતા, તેથી તેમનાં પદોમાં મિશ્ર શબ્દો વડે યુકત હિન્દુસ્તાની ભાષા જણાય છે.
શ્રીમદ્દનાં બનાવેલાં બહોતેર પદ છે કે એકસો આઠ તેના નિર્ણય માટે ઘણા પ્રયાસે કરવામાં આવ્યા છે. શ્રાવક ભીમસિંહ માણેકે ૧૦૭ પદો છપાવ્યાં છે. તેથી અમેએ એ સર્વ પર ભાવાર્થ લખ્યો છે. ડહેલાના ઉપાશ્રય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પં. શ્રી વરવિજયજી મહારાજ તથા પાટણથી તેમ જ મારી પાસેની પ્રત એમ પાંચ જુની પ્રત અને શ્રાવક ભી. મા. વાળી ચે પડી સર્વ જોઈ અર્થો–વિવેચન લખાયેલ છે. શ્રીમદે પ્રથમ પદ કર્યું લખ્યું ? બહોતેરી કહેવાય છે તો બહોતેર જ પદો લખ્યાં હશે કે ૧૦૮ ? આ પ્રશ્નોના ઉકેલ માટેના પ્રયાસે અફળ જ રહ્યા છે, ઉપલબ્ધ સાહિત્ય પરથી બન્યું તેટલું મેળવ્યું છે. છતાં
For Private And Personal Use Only