________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્ત અધ્યાત્મ ગ્રંથરૂપ સ્પર્શ મણિના ગે આત્મા પરમાત્મપણાને પામે છે. એ ઉદેશને સિદ્ધ કરવા આ ગ્રંથની રચના કરવામાં આવી છે. મૂળ લેક તેના ઉપર વિસ્તૃત સ્વપજ્ઞ ટીકા અને શ્રી દોસીનું વિવેચન, આમ આ ગ્રંથ ઉત્તમ રસ-આસ્વાદનનું પાત્ર બની રહ્યો છે,
આ ગ્રંથમાં જ બીજે સ્વતંત્ર સંસ્કૃત ગ્રંથ શ્રી આત્મદર્શન ગીતા આપેલ છે. આ એક અદ્ભુત ગ્રંથ છે ને તે નિર્વાણગીરાના અભ્યાસી–અધ્યાત્મ-જ્ઞાન રસ રસીયા મુમુક્ષુઓને તો પરમ આહાર આપે છે. આ ગ્રંથથાં મુળ કે ૧૮૨ છે. આત્મદર્શન ગીતા ખરેખર એક મહાન ગીતા જ છે. તેની રચના સં. ૧૯૬૫ ના જેઠ સુદ ૩ ના રોજ અમદાવાદ નગરમાં કરવામાં આવી છે. આના ૨સભેગી વાંચક બ્રમર આ ગીતા વાંચતાં ડોલી ઉઠે એવા રસ તેમાં ભર્યા છે. માનવ આત્મા જાગૃતિ પામ્યા બાદ જે આત્મસાધનાથી ઉંચ ભૂમિકાઓ ચઢતો જાય તે આત્મસાધનનું સ્વરૂપ લેખક આમાં સવિસ્તર સુંદર રસીક રીતે આપતાં એ રસમાં આત્મ સમાધિ-દર્શન સુખસાગરમાં પિતે જ ડૂબતા જાય છે, અને તે સાધેલ આત્મસમાધિ દ્વારા મેળવેલ નિજાનંદની અદ્ભુત ખુમારીનું વિવેચન સંસ્કૃત કે દ્વારા વાંચકોને આપે છે. આ ગ્રંથ ઉપર ગુજરાતી ટીકા કે વિવેચન થયેલ નથી તે થવાની જરૂર છે. તે થશે ત્યારે વાંચકોને અદ્ભુત વાંચન મળશે.
| (૫) શ્રી પરમાતમ દર્શન પ્રથાંક નંબર ૮ મો. પૃષ્ઠ. ૪૦૮ રચના સંવત ૧૯૬૦ અષાડ સુદ ૫ ભાષા ગુજરાતી. આ સુંદર ગ્રંથમાં અનેક વિષયો સાગરમાં સરિતા.
ની જેમ સમાવ્યા છે. કુલ ગુજરાતી ગાથાઓ ૫૧૮ રસભરી શૈલીમાં વહી જાય છે. ગુરુની શક્તિ સિદ્ધ કરવા પ્રદેશ રાજા અને કેશી કુમારનો સંવાદ્ધ આપી આત્માની અસ્તિતા સિદ્ધ કરી છે. જ્ઞાન અને ક્રિયાને સંવાદ ઘડીક થંભાવી દે છે, યે અયોગ્ય શ્રોતાઓનાં લક્ષણ બતાવ્યાં છે, ષડ-દ્રવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આમ ધમની મહત્તા બતાવતાં લેખક પિતે જ જાણે આત્મધર્મ માં ડૂબે છે, ને તે સાધવા નિષ્કપટપણું આદિ ગુણોની જરૂરી આત બતાવી છે. બાદ આત્માની શોધ કઈ વિરલા જ કરી શકે તે માટે બાદશાહ અને ફકીરની વાર્તા આપી છે. સાધુની આત્મધ્યાન આદિ કિયાએ સ્કુટ કરતાં ઘણું દષ્ટાંત આપી દીધાં છે. બાદ મુમુક્ષુએ દશ પ્રશ્નો સંબંધી વિચારવા જેવું છે તે દર્શાવ્યું છે આ દશ પ્રશ્ન પૃ. ૧૯૦ પર છે ને તે અતિ વિચારણીય છે સાતમાં પ્રશ્નમાં હું સંસારમાં જન્મમરણ પામું છું તેનું કારણ શું? તે માટે કર્મરાજાને ધર્મરાજાનું યુદ્ધ વર્ણવ્યું છે. આ દશ પ્રશ્નો જે કઈ સાવંત વિચારપૂર્વક વાંચે તે વર્ષો પયત વાંચનથી ન મળે તેટલું વાંચક મેળવી શકે. આત્મા કમનો ભેકતા કેવી રીતે બને છે તે પ્રશ્નના ઉત્તર માટે લેખકે ગહન-વિવેચન કરેલ છે. આ મસિદ્ધિ કરવાના ઉપાયે અભ્યાસનાં સહાયક બળા વિસ્તારથી આપ્યાં છે. આત્મા કમનો નાશ કરી અનંત સુખ પ્રાપ્ત કરી અમર થઈ શકે છે તે બતાવવામાં લેખકે ઉત્તમ શૈલી અને રસિક ભાષામાં હાથ ધોઈ નાંખ્યા છે. દષ્ટાંતો-ભજન-દુહા તથા વિષ૬ ટીકાઓની ઘનવૃષ્ટિ કરી આ આખા ગ્રંથને માનવપકારક બનાવવામાં લેખકે પરમ પુરૂષાર્થ દાખવ્યું છે. આગમોનું દોહન કરી પરમતત્વ–પરમાત્મ દર્શન કરવા જવલંત રાજમાર્ગ એટલે જ પરમાત્મ દશન.
For Private And Personal Use Only