________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારવાર કરતા
[ ૨૨ ]
અતિમ યાત્રા
ધરાના જોતિષી ભેળાનાથ મુદત પરખી રહ્યા હતા. વિજાપુરનો સંઘ ચરિ. ત્રનાયકને વીજાપુર લઈ જવા માગતો હતો, ને જોષીજી પાસે સારું ચેઘડિયું પૂછતો હતો.
“જેઠ વદી બીજનું શુભ મુદ્દત છે. ” જ્યોતિષીજીએ કહ્યું.
પણ મોટા જ્યોતિષી–મહારાજશ્રીએ નિષેધ કરતાં કહ્યું: “મારે ત્રીજનું મુદત જોઈએ. હોય તે કાઢી આપે, '
“છે, પણ આઠ વાગ્યા પછી વિહાર થાય.” “ના, એ ન બને. મારે છ વાગે તે ત્યાં પહોંચવું છે. ”
સંઘે કબૂલ કર્યું. એ દિવસે રાતે બધાને કહી દીધું: “ભાઈઓ, હું તમારી સેવા કરી શકયો નથી. મેં તમને વખતો વખત કંઈ કહ્યું હશે, તે બધાની ક્ષમા માગું છું. હવે હું મુસાફરી પૂર્ણ કરવા માગું છું.”
રાત્રે નાડી મંદ પડી. દાકતરે ગભરાયા. જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જવા સૂચના કરી. જેઠ વદ ત્રીજના વહાણામાં પાટ પર સુવાડી સકલ સંઘ તેમને વિજાપુર લાવ્યો.
અહંમ મહાવીરને નાદ ધીરે ધીરે સંભળાતા હતા. પન્યાસ મહેન્દ્રસાગરને ધીરેથી પાસે બોલાવી કહ્યું. “ભાઈ, શાંતિ.”
અનેક ઝંઝાવાતોથી જર્જરિત, તપ, ત્યાગ ને તિતિક્ષાથી તવાઈ ગયેલ એ પુષ્પને મહુડીથી વીજાપુરના ચાર કેશ કાપવા પણ દુષ્કર હતા.
For Private And Personal Use Only