SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિષદ ર થવાનો પ્રસંગ મળ્યો. પેથાપુરના શ્રી. સંઘે આ લાભ પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. મહાત્સવની તિથિઓ નકકી કરવામાં આવી, અને ગામેગામ આમંત્રણ--પત્રિકાએ રવાના કરવામાં અહવી. મુંબઈ, સુરત, અમદાવાદ, પાદરા, વડોદરા, બીજાપુર, ગેધાવી, વલસાડ, ખંભાત વગેરે અનેક શહેરોમાં અને શ્રાવક-શ્રાવિકાઓ આ પહોંચ્યાં. શેઠ જગડ ભાઈ આ પ્રસંગે આવ્યા હતા. માગસર સુદ પૂર્ણિમાએ વિજય મુહૂર્ત ચતુર્વિધ સંઘે તેમના પર વાસક્ષેપ નાખ્યા, ને આચાર્ય તરીકે જાહેર કર્યા. શેઠ જગાભાઈ, ઝવેરી જીવણચંદ ધરમચંદ તથા શ્રી. પથાપર સંધ તરફથી ત્રણ નકારીઓ કરવામાં આવી. આ અંગે ચરિત્રનાચક પોતાની ડાયરીમાં ચાર જ પંક્તિમાં એની નેંધનો સમાવેશ કરે છે “ માગસર સુદ ૧૩, અમદાવાદ-ઝવેરીવાડના ઝવેરી મંગળદાસ રતનચંદ સાથે પેથાપુરના દક્ષિણ દિશાના મોટા વાંધામાં ટેકરા પર બેસીને સૂરિમંત્રની કેમરાજ પઠનું ધ્યાન કર્યું. * સંવત ૧૯૭૦ ના માગસર સુદી પૂર્ણિમા, શનિવાર તા. ૧૩-૧૨-૧૩ ચતુર્વિધ સંધ સમા અનેક ગામ-શહેરના શ્રાવકો અને શ્રાવિકાઓની સંમતિ અને આગ્રહથી આચાર્યપદ વ્યવહારે અનેક સંજોગોમાં અપેક્ષાએ પેથાપુરમાં ગ્રહણ કર્યું.” આ પછી ડાયરી પેથાપુરને સાબરમતીને સૃષ્ટિસૌંદર્યનાં વર્ણન કરે છે, ને કયાં કયાં ધ્યાન સમાધિ આદરી તેની નેધ કરે છે. ખુલ્લી કુદરત ને મુક્ત વાતાવરણના સિયા આ સૂરિરાજની કળાએ અહી: સોળે પ્રકારે ખીલતી દેખાય છે. કવિત્વનું ઝરણ વેગથી વહે છે. ગુરુજીની પાછળ સંકલ્પ કરેલી નકારવાળીએ ગણવા પાછળ, ને એમને નિમિત્તે એક ગ્રંથ * જૈનોની પ્રાચીન ને અર્વાચીન સ્થિતિ ? રચવાની પ્રવૃત્તિ જોવાય છે. ' સૂરિપદના સરકાર પછી પાંચમે દિવસે તેઓ રાંધેજા તરફ વિહાર કરે છે, ને ત્યાંથી પુંજાપરા થઈ માણસા આવે છે. માણસા દરબાર ઠાકર શ્રી. તખ્તસિંહજી સત્સંગ માટે ભારે ઉત્સુક છે. તેઓ તરત મળવા આવે છે. તા. ૩૦-૧૨-૧૩ ના રોજ બે કલાક સુધી ધર્મચર્ચા વહી નીકળે છે; છતાં જાણે તૃષા તો છે જ ! | ગુજરાતનો આ રળિયામણે પ્રદેશ જેઈ કવિ–આમાં ઘેલે થયે દેખાય છે, એ નોંધે છેઃ ગુર્જર શુભ અમારે દેશ, શુભ અમારો દેશ; સર્વ દેશેથી વિ શ ષ, ગૂર્જર શુભ અમારો દેશ. હિન્દુ વર્ણો દયા કરે છે, જેનો સૌથી વિશેષ, મંદિરે સહુ ધર્મનાં રે, પણ રસાળ પ્રદેશ. ગૂજર. આંબાનાં વૃક્ષો ઘણાં રે, ટાળે તન-મનનો કલેશ, કુદરત વનરાજિ રાજે ઘણી રે, આનંદ આપે હંમેશગૂર્જર. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy