________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેહમયીમાં
૨૫૩ શ્રાવકોએ એ રીતે પાઠશાળા સ્થાપી સંસ્મરણ કાયમ કર્યું,
સોપારા એ તે શૂપરક બંદર. ત્રણ ચાર હજાર વર્ષ પૂર્વેનું મહાબંદર ભગુકચ્છ જેટલું જૂનું, આજે તો ભાંગી ગયું ને ખારવા મટીને માછીમારો એકલા રહ્યા. આ માછોમારેને ચરિત્રનાયકે ઉપદેશ આપી પયુષણના આઠ દિવસ આ પાપનો ધંધો તજવા સમજાવ્યા.
આ અગાસીમાં એ વેળા માહ સુદ ૧૦ નો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ચરિત્રનાયકને પણ વિનંતિ કરવામાં આવી, તે લાભ જાણી ત્યાં ગયા. આ વેળા મુંબઈ વગેરે સ્થળેથી દશ હજાર માણસ એકત્ર થયું હતું. મહેસાણાના શાહ સુરચંદ મોતીચંદે પ્રભુ પધરાવ્યા. અહીં મન કેથલિક સંપ્રદાયના રોમન કેથલિક ખ્રિસ્તીઓ છે.
ચરિત્રનાયકે તેમને પરિચય કેળવી તેમને ઉપદેશ આપ્યું. તેમાંના ઘણા બ્રાહ્મણ, કણબી, ખેડૂત વગેરે વર્ગમાંથી આવ્યા હતા. તેઓ પૈકી કેટલાકએ દારૂ, માંસ વગેરેની બાધા લીધી. કેટલાકએ તો કહ્યું: અમે અસલ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણો સ્વીકારે તે પાછા ફરવા તૈયાર છીએ.”
ચરિત્રનાયક રૂઢ વણધર્મોથી જાણીતા હતા; છતાં તેઓએ જૈન પત્રમાં એક લેખ લખી તેમની સ્થિતિ પર પ્રકાશ પાડો. આર્યસમાજીઓને તેઓની શુદ્ધિ માટે ખાસ આગ્રહ કર્યો.
- દરિયાનો કિનારો હવે લગભગ સાથે થયો હતો, ને એને સુંદર કિનારે ચાલતાં મુંબઈ આવવાનું હતું. ઊંચાં ઊચાં તાડનાં વન ને નિર્મળ બેમ આકર્ષણ કરી રહ્યું હતું. પણ મુંબઈ તો બંદર છે. એના બારામાં અજાણી સ્ટીમરે પ્રવેશી શકતી નથી. તેમને અટકાવવા માટે અથવા પ્રવેશ કરે તે કુરચે કુરચા ઉડાવવા માટે તે તૈયાર રાખવામાં આવી હતી.. - આજે પણ એક અજાણી નૌકા મુંબઈમાં પ્રવેશતી હતી ને એ અજાણી નૌકાનો વેગ ખાળવા નાની મોટી તોપોના અવાજો શ્રવણ ગોચર થવા લાગ્યા હતા. નિખાલસ ને સરળ પ્રકૃતિના ચરિત્રનાયકની મનઃશાંતિમાં કેટલીકવાર ક્ષણભર ખળભળાટ થતો; પણ વધુ સારા માટે ઓછા સારાના ત્યાગની વાત યાદ કરી આગળ વધતા. | મુંબઈ ખરેખર મોહમયી છે અને અનેક સાધુરાજે અહીં આવીને ભૂલા પડયાના દષ્ટાંતે નજર સમક્ષ છે. ભલભલા મોતીનાં પાણી ઉતારી નાખનાર ઉસ્તાદ અહીં પડેલા છે. એનું જ પરિણામ છે કે, ભાગ્યે જ કઈ મોટા સાધુનું ચાતુર્માસ કલેશ, કંકાસ, ચર્ચા ને ગાળાગાળી વગર વીત્યું હશે. અમુક આચાર્ય મુંબઈ આવે છે. મેં થતાંની સાથે કેટલાક અટપટી ચર્ચાઓના પ્રશ્નોનાં મરેલાં કૂતરાં માર્ગમાં ફેંકે છે. કેટલાક હેન્ડબલેના હથોડાથી છે દી નાખવા આગળ આવે છે. એક પ્રશ્નનો ઉત્તર આપે કે પછી અભિમન્યુને ચકરાવે થઈ જાય છે.
For Private And Personal Use Only