________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેચરદાસમાંથી બુધ્ધિસાગર
૧૧
આવા નિસ્પૃહી સાધુ સંસારના ચક્રવતી ને પણ સાચેસાચુ' માં પર કહી દેશે. ચમરબંધીમદાંધની પણ આંખાને ખોલી દેશે. અને એમ ન હેાત તે મગધરાજ જેવા સમથ રાજરાજેશ્વરને મે સામે જ કાણુ કહી શકત કે રાજન, નરકેસરી નહીં પણ તમે નરકેશ્વરો છે !
બહેચરદાસે પવહાર માટે પહેલા પગ ઉપાડયા, ત્યારે તેમનું મન થનગની ઊઠયું. કેટલા હલકા, કેટલેા વૈરાગ્યવંત, કેટલેા ઉપયેાગવાળે !
એમણે ધીરેથી મસ્તક પર હાથ ફેરવ્યેા. કેટલું ખેવનાનું. ફિકરનાં સર્વે દ્વાર બંધ કરી બેફિકરાઇની સમસ્ત બાદશાહી જાણે સામે આવીને ખડી હતી !
ને એમણે દડ ઉપાડયા. રાજદંડ કરતાં આ મુનિદંડના મહિમા કેટલા ? રાઈડને શ્વેતાં ભય ઉપજે, મુનિન્નડ જોતાં ભય ટળે. આ દંડના મળે હવે વસુધાતલ પર વિહરવાનું.
પહેલા કદમ નગરશેઠ મંગળજી મહેતાના ઉદ્યાન તરફ વળ્યા. ત્યાંના ઉદ્યાનગૃહમાં રાત્રિનિવાસ કર્યો. હવેતેા જેલ ને મહેલ આ જોગીને સરખાં બન્યાં હતાં. છઠના ચંદ્ર આકા શમાંથી ઉદ્યાનના સુંદર વૃક્ષો પર અમી વરસાવી રહ્યો હતેા. શિશિરની ઠંડી ઋતુ જામતી હતી. એ ઠં’ડીમાં પણ નવપ્રાપ્ત ચારિત્રયેાગના ઉત્સાહ બહેચરદાસને અનેરી ઉષ્મા આપતા રહ્યા. માગશર શુકલા સપ્તમીને સવારે આ ઉદ્યાનમાંથી પુનઃ નગરપ્રવેશ હતા. ચાર દિવસ પહેલાં જ બહેચરદાસે આ જ નગરમાં પ્રવેશ કર્યો હતા. એ વેળા કાઇએ કાંઇ જાણ્યુ નહેાતું. અને આજે નગરપ્રવેશના સ્વાગતની ભારે તૈયારીઓ હતી. શહેરની શે।ભારૂપ ને શણગારરૂપ નર-નારીઓ આવીને ખડાં હતાં. લળી લળીને નમસ્કાર કરતાં હતાં. અરે, ચાર રાતમાં તે શું અજબ પરિવર્તન થઈ ગયું ? પેલા બહેચરદાસને તે કાઇ આળખતું નહેતુ ને આ બુધ્ધિસાગરને તે સહુ વંદના કરતું હતું.
અજબ ભાઇ, તું ! પણ એ વંદના મહાવીરના વેષને હતી. અભિમાની મા થતા, સાલા ! વંદનાના અધિકારી થવાને તારે વાર છે,
સુનિ બુધ્ધિસાગરે સ્વગુરુ સાથે નગરપ્રવેશ કર્યાં, તે ચગ્ય સમયે હાથમાં પાત્ર લઇને ભિક્ષા લઇ આવ્યા. ચડતે ઉત્સાહે આવતી ચતુર્દશીએ પ્રતિક્રમણમાં બેલવા માટે ત્રણસેા ગાથાનું પખ્ખીસૂત્ર એક દિવસમાં કંઠસ્થ કરી પહલે પગલે પ્રતિભાનાં પુષ્પકરણ વેર્યા. ‘ ઉત્સવર`ગ વધામણાં ’ તે આનું નામ !
For Private And Personal Use Only