________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyan mandir
સાગર ગચ્છ
[૩]
મા બહેચરદાસ જે રવિસાગરજી મહારાજના સંપ્રદાયમાં દીક્ષા લેવાના હતા, એ સાગર ગચ્છની ઉત્પત્તિનો આ કાળ છે. શ્રી હીરવિજયસૂરિજીના શાસનકાલમાં શ્રી સહેજસાગર કરીને પ્રસિધ્ધ ઉપાધ્યાય હતા. મહાન વિદ્વાન, ક્રિયાવાન ને પ્રતિષ્ઠાવંત આ ઉપાધ્યાયનું “ અકબરી દરબાર ’માં ભારે માન હતું. ને શ્રી હીરવિજયસૂરિજી મને મળેલા દાનપત્રમાં તેમનો ખાસ ઉલેખ કરવામાં આવેલ છે.
આ વખત સુધી જૈનત્વ જીવંત હતું. એનાં દ્વાર ખુલ્લાં હતાં. વિક્રમની સંવત ૧૬૦૦ સુધી નવા જનો થતા. પછી નવી ભરતી આથમી.
આ વખતે અકબરી દરબારમાં શાંતિદાસ કરીને એક જુવાનીમાં જોવાતે હતો. સહેજસાગરજી ઉપાધ્યાયની એ ચમકદાર મોતી પર સારી પ્રીતિ હતી. શાંતિદાસ પણ રાજદરબારમાં ઝવેરી તરીકે નામના મેળવવા માગતા હતા. “ ચિંતામણિ” નામના મંત્રની એ જુવાને સાધના કરી હતી એમ કહેવાતું'.
એક વાર જહાંગીરી દરબારમાં આ મોતીની પરીક્ષા થઈ ગઈ. વિચક્ષણ બાદશાહે હુકમ કર્યો કે મારી કીમત કરવામાં આવે. બાદશાહની કીંમત કેવી રીતે કરવી ? સહુ વિચારમાં પડી ગયા. નગરમાં નાના વેગે વાત પ્રસરી ગઈ. એ વેળા માનવ-ઝવેરી શ્રી શાંતિદાસે બાદશાહની કીંમત ભર બજારમાં કરી આપવાનું બીડું ઝડપ્યું.
કામ ભયંકર હતું. હસતાંમાં ખસતું થઈ જતાં વાર લાગે તેમ નહોતી. શાંતિદાસ યથાસમય કાંટા સાથે દરબારમાં હાજર થયા, બાદશાહે આ જુવાનને જોઈ રહ્યો. એણે તે પિતાનો કાંટે હાથમાં લઈ ઊ ચે કર્યો ને બંને પલાં સરખાં થયાં એટલે એક પહેલામાં એક રતિ નાખી, ને પલું નીચે નમતાં શાંતિદાસે કહ્યું:
For Private And Personal Use Only