SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિનિષ્ઠ આચાર્ય જૈનની તારી દશા છે, અને તે છેવટે આત્મદશા પ્રાપ્ત કરીશ. તારું કલ્યાણ થાઓ !” આ પછી માંદગી ભભીર બની. ચરિત્રનાયકે પિતાના ગુરુના સ્મરણમાં બહાર પડેલ ગુરુગીતા માં આપેલું વર્ણન જ વાંચીએ. “ સંવત ૧૯૫૪ ના જેઠ વદિ ૧૦ ના રોજ મહારાજ સાહેબજીને રાત્રિએ શ્વાસ ઉપડયો, તેથી મહારાજજીએ પોતાના શિષ્ય મુનિ સુખસાગરજીને કહ્યું કે, હવે દેહોત્સર્ગને કાળ નજીક છે, માટે મને સારાં સારાં સ્તવન સજઝાયા સંભળાવો. શ્રી. સુખસાગરજી આમાની સમાધિ રહે તે રીતે સ્વાધ્યાય કરવા લાગ્યા. તે વખતે શ્રી. આત્મારામજીના શિષ્ય શ્રી ચારિત્રવિજયજી તથા શ્રી ધર્મવિજયજી તથા શ્રી. કપુરવિજયજી તથા શ્રી. અમીવિજયજી ( વિજય ક્ષમાભદ્રસૂરિના ગુરુ) વગેરે પાસે હતા. પ્રબંધ લખનાર હું (બહેચરદાસ) પણ તે વખતે પાસે હતું. મારા ઉપર આ પ્રખ્યાત મુનિરાજની અત્યંત પ્રેમદષ્ટિ હતી. મને યાદ કરવાથી હું મહારાજ સાહેબની પાસે આવ્યા, અને વૈરાગ્યકારક સ્તવને તથા સઝા સંભળાવી. આ વખતે રાત્રિના દશ વાગ્યાનો સુમાર હતા. મહારાજને જરા શાંતિ થઈ. આ વખતે મુનિરાજ શ્રી. રવિસાગરજી મહારાજ ધ્યાનમાં લીન થયા હતા.................સ્મરણ કરતાં કરતાં નિદ્રા આવવા લાગી. રાત્રિના વખતે મહારાજ સાહેબની સ્થિતિ નબળી જાણે કેટલાક શ્રાવક ઉપાશ્રયમાં સૂઈ રહ્યા હતા, અને વારાફરતી જાગરણ કરતા હતા. રાત્રિના ચાર વાગ્યાના સુમારથી મહારાજનું શરીર વધારે નરમ થયું. આ વખતે શ્રાવક વેણીચંદ સુરચંદ, શેઠ વસ્તારામ નેમિદાસ, શેઠ છગનલાલ ડોસાભાઈ, નગીનલાલ ઝવેરચંદ, ખૂબચંદભાઈ મહેતા પાટણવાળા તથા કીકાભાઈ તથા પ્રબંધ લખનાર હું પોતે (બહેચરદાસ) તે વખતે હાજર હતા.” મહારાજ સાહેબને પિતાને અંતકાળ નજીક ભાસવાથી તે બાબતની અંતેવાસી શ્રાવકોને ચેતવણી આપી. જેઠ વદિ ૧૧ ના રોજ સવારના પ્રહરમાં પ્રતિક્રમણ વગેરે કરી તથા પાર્શ્વનાથજીની પ્રતિમાનાં દર્શન વગેરે કરી પાટ ઉપર સંથારામાં અર્ધ પદ્માસનવાળી બિરાજમાન થયા. અને આત્મસમાધિમાં આત્મોપયોગી આરુઢ થયા.” “ મહારાજ સાહેબજીએ કહ્યું હતું કે કોઈ પણ માણસ વાતચીત અગર ગરબડ કરે નહીં. “મહારાજ સાહેબની અંતઅવસ્થા માલૂમ પડવાથી શ્રાવક, શ્રાવિકાઓ, નાનાં મોટાં સર્વે આવી મહારાજજીનાં દર્શન કરવા લાગ્યાં ને કહેવા લાગ્યાં કે હવે અમને ગુરુજી સમાન ધર્મને ઉપદેશ કોણ આપશે ? બ્રાહ્મણો તથા મેસરી વાણિયા પણ મહારાજ સાહેબનાં દર્શન કરવા આવવા લાગ્યા. ઉપાશ્રય માણસોથી ભરાઈ ગયે. મહારાજ સાહેબજી પદ્માસન વાળી આત્મસ્વરૂપને વિચાર કરવા લાગ્યા.તેમને દેખી સકળ સંઘ ઉદાસ ચિત્તથી તેમની સામે ટગર ટગર જેવા લાગ્યો. મહારાજજીએ આંખ ઉઘાડી સંઘ સામે દૃષ્ટિ કરી, અને એક આંગળી ઊંચી કરી જણાવ્યું કે, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy