SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપૂર્વ સ્મશાનયાત્રા. દશ હજાર માણસની મેદની. સુપ્રસિદ્ધ મહાન ચગેશ્વર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના સ્વર્ગગમનના સમાચાર ફરી વળ્યા. શ્રીમદ્દ એક મહાન ધુરંધર જૈનાચાર્ય હતા. તેઓને મહુડી ગામથી વીજાપુર લાવવામાં આવ્યા હતા, જ્યાં આવવા પછી તુરત જ શ્રીમદ્દની સિથતિ બગડવાનાં ચીહે જણાયાં હતાં. સદ્દગતના ચુસ્ત અનુરાગી ભકત પાદરાનિવાસી વકીલ મેહનલાલ હીમચંદ શ્રીમની પાસે ઘણા દિવસથી સેવામાં હતા. તેમણે તુરતજ ઘટતી વ્યવસ્થા કરી હતી. અને શ્રીમને આત્મસ્વરૂપમાં લયલીન રહેવાની પ્રાર્થના કર્યા કરતા હતા. સ્વર્ગગમન પહેલાંની એક મીનીટ સુધી શ્રીમદ્ પુર્ણ સાવધ અને આમેપગની સ્થિતિમાં હતા. છેવટે અમ મહાવીર શબ્દોચ્ચાર વચ્ચે શ્રીમદ્ સ્વર્ગસ્થ સ્થિતિને પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે હજારે માણસે સ્ત્રીઓ પુરૂષે સાધુ સાધવીઓ હાજર હતાં. તેમને તમામ શીખ્ય પરીવાર પણ હાજર હતા. સ્વર્ગગમનના લગભગ ૪૦૦-૫૦૦ તાર રવાના થયા હતા, અને ટૂંક સમયમાં અસંખ્ય માણસો પગ રસ્તે તથા રેલમાં આવી પહોંચ્યાં હતાં. જેઠ વદી ૪ બુધવારના રોજ સવારે ૭ વાગે શ્રીમદુના મૃતદેહને શાસ્ત્રોકતવીધીપુર્વક વકીલ મોહનલાલ હીમચંદનાહાથે રનાન વિલેપન ક્રિયા કરવામાં આવી હતી.ઉપાશ્રયના મધ્યભાગમાં શ્રીમદુને શરીરને હમેશાં બેસવાની જગ્યાએ પાટપર પધરાવ્યું હતું. તેમને છેવટનું નમન કરવા આશરે ગામ તથા બહાર ગામના પાંચ હજાર માણસે આવી ગયા હતા. આ પ્રસંગે શ્રીમદ્ના દેહ ઉપર વીસ કલાક વીતી ગયા છતાં પણ અપુર્વ તેજ વલસતું હતું. જાણે જીવંત મુતિ હોય નહીં? એજ દેહને જરીના કપડાથી મઢેલ તુરતજ નવી બનાવેલી પાલખીમાં પધરાવ્યા હતા, અને ગામના સ્થાનીક મુખ્ય અમલદારે પોલીસ પાર્ટી તથા બેન્ડ સહીત આશરે For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy