SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થશે; એમાં શંશય નથી. એ સદ્દગત્ મહાત્માશ્રીને અમને અલભ્ય પરિચય થએલ. તે પણ અમને સાનન્દ સંતોષ ઉપજાવનાર થયે હતું. તેમનાં પુસ્તકો દ્વારા તેમના સૂરમ સાધુ જીવનને સહવાસ અને તજજન્ય આનંદ નિત્ય નિરંતર અનુભવાય છે અને એ અનુભવ આ ટુંકે લેખ લખવામાં પ્રેરક હેતુ છે. વેષ માત્રમાં કે તમને ગુણ કર્મ શુન્યતામાં કે રજોગુણી લેભમૂલક ક્ષુદ્ર અહંભાવ પ્રેરિત સકામ પ્રવૃતિમાં સાધુતા રહેલી નથી. તેમજ વાતામાં વ્યાખ્યાનમાં, ભાષણમાં, ગ્રન્થ ગુંથવામાં કુશળતા પણ કૃતિમાં મૂઢતા, વૃત્તિમાં શૂન્યતા ! આવી કુશળતામાં નથી પંડિતાઈ કે નથી વિદ્વત્તા એ તેમના જીવનને ઉત્તમ બધ છેતેમનામાં વિદ્વત્તા અને સૌજન્ય, જ્ઞાન, પાંડિત્ય અને સચ્ચારિત્રને વિરલ સંગ હતે. તેમને શુંદ્ધ વૈરાગ્ય તેમની નિરહંકાર નિર્વાસન નિષ્કામ સપ્રવૃત્તિયે, તેમની જ્ઞાનનિષ્ઠા તેમનું ગાનુષ્ઠાન અને ચિદાનન્દ ભજનની મસ્તી, તેમને સમભાવ અને સત્વગુણ, તેમની નિર્મોહી શકમ બુદ્ધિ અને તેમની પાછળ પ્રકાશનું એમનું વિશુદ્ધ નિષ્કલંક હૃદય! આ બધાંના સરવાળારૂપ તેમનું આદર્શ સાધુ જીવન તેમના ચારિત્ર લેખ કને સબળ અને સુન્દર સામગ્રીઓ પુરી પાડે તેવાં છે. સાંપ્રદાયિક ટૂંકી દ્રષ્ટિ, રાગદ્વેષ અને તજજન્ય ખટપટ પ્રપંચ પ્રતારણું, આડંબર આદિ અનર્થકારક અંશે તેમનામાં જોવામાં આવ્યા નથી. બીજા વિષ કરતાં એમણે આત્મજ્ઞાનને પ્રચાર કરવા ઉપર અને વીસરાઈ ગયેલી ગવિદ્યાને પુનરૂદ્ધાર કરવા ઉપર ખાસ વિશેષ લક્ષ આપ્યું છે અને ચગાનુષ્ઠાન તથા આત્મજ્ઞાનનિષ્ટા એ સિવાય એક સાચા સાધુની બુદ્ધિનાં વિહારસ્થાનમાં બીજું શું હોઈ શકે ? તેમણે પોતાના આત્મપ્રદીપ નામના ગ્રન્થમાં જણાવ્યું છે કે सार्थकयं जन्मनोविद्धि सूत्रशास्त्रेषुसंमतम् आत्मतत्वं समाराध्यं त्रैकालिकमनश्वरम् ॥ ५६ ॥ परित्यज्यान्यकार्याणि चिदानन्दं भजस्वभो इष्टावाप्तियंतो मुक्ति रुपादेयं सदुत्तमम् ॥ ७७ ॥ For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy