________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૫
તેમની લખવાની શકિતનું માપ એટલા ઉપરથી થઈ શકે કે તેમણે અધ્યાત્મ અને આત્મજ્ઞાન, ધર્મચર્ચા, ઇતિહાય, કાવ્ય અને તત્ત્વવિચારણા આદિ દરેક વિષય ઉપર એટલું તે સાહિત્ય લખ્યું છે કે તેને મુકાબલે વર્તમાન કાળમાં ભાગ્યે જ કોઈની સાથે આપણે સમાજમાં થઈ શકે છે. જેમ માળાના ૧૦૮ મણકા હોય તેમ અત્યાર સુધીમાં તેમના ૧૦૮ ગ્રંથો તે બહાર પડી ચુકયા છે, અને તે પણ એક એકથી ચઢતા અને સાહિત્ય સમૃધિમાં ખજાના રૂપ અંકાય તેવા. તેમના ભજનના ૧૧ ભાગ એ અંતઃકુરણમય હજારે ભજનેને ખજાને છે, આનંદ, ઘન કાવ્યના અર્થ લખતાં ૮૦૦ પાના ભર્યા, પત્રથી ઉપદેશ આપતાં ૬૦૦ પાનાં, ગદ્યમાં ઉપદેશ આપતાં ૧૦૦૦ પૃષ્ટ, કર્મચાગમાં ઉતર્યા તે ભગવદ્દગીતાની ભાવના ઉપર ૧૦૦૦ પૃષ્ઠ ભર્યા. પરમાત્મ જાતી પ્રકટાવતાં ૫૦૦ પાના અને પરમાત્મ દર્શન કરાવતાં તેટલાં જ બીજાં લખી નાખ્યાં ! સાબરમતી નદીનું વર્ણન કરવા બેઠા તે જાણે અનેક આત્માઓને તેના પ્રતાપે તારી દેવા બેઠા હોય તેમ સાબરમતીના ગુણગ્રામને છેડે જ ન આવે !
ઇતિહાસમાં ઉતર્યા ત્યાં તે સેંકડો શીલાલેખે અને તેનાં હાર્દ તથા ઇતિહાસ સાથે પરસ્પરને સંબંધ ચીતરતા જાણે તે કાળમાં ભમી રહેલ એક મુસાફર જોઈ લ્યા. આવા ૧૦૮ મણકા જન સમાજના સન્મુખ ધરીને તેને મેર ગુંથવા કક્કાવલિ સુબોધ શરૂ કર્યો અને મૂળાક્ષરના અકેક વરવ્યંજન ઉપર આત્મરણ કરતાં છ હજાર કાવ્ય લખી નાખ્યાં. આ ગ્રંથના હજુ તો “જ” ના કાળે પહોંચ્યા ત્યાં પચીશ ફરમાં થઈ ગયાં અને તેટલામાં આજે આ મહાન વિભૂતિ વગે સંચર્યાના ખબર જાણી અપાર ખેદ થયે!
જેમ તેઓ લેખક અને કવિ તરીકે પ્રખર પુરૂષ હતા તેમ વકતા તરીકે પણ તેમની વાણું અનેક જીવોને ઉપકાર કરી શકતી. જાહેર ભાષણની પ્રથા મુનિએ માટે તેમણે જ શરૂ કરેલી સં. ૧૯૬૫ માં ના. ગાયકવાડ સરકાર મળ્યા ત્યારે તેમણે - 14
For Private And Personal Use Only