________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર પ્રીતિ પરમાત્મા સાથે, ફેગટ ક્યાં આથડે, બુદ્ધિસાગર આત્મધ્યાને, તુજને નહિ કે નડે. છોકો
અર્થ–સંસારમાં જ્યારે કોઈ પણ માનવ-દાનવ-શેઠ –શઠ–શંકર કે કિકર પિતાના વિચારો-ઉચ્ચારે અને આચારોથી વિરૂદ્ધ વર્તન રાખે ત્યારે તે માનવ વિગેરે તેઓને હઠાવવા વિવિધ ઘાટ-પ્રપંચે રચે છે અને મનમાં માને છે કે તેઓને હઠાવી પરાજ્ય કરૂ, મહારા કથન પૂર્વક તેઓ વર્તે તે હું ખરો? આ મુજબ દરરોજ અભિલાષા રાખતા હોવાથી તેઓને સદ્ગુરૂ અષ્ટાધિકશત ગ્રન્થના કર્તા શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી શિખામણ આપે છે અરે તમે સામાને પરાજય કરવા-હઠાવવા ઘાટ ઘડો છે પણ એક પલકની ખબર તમેને છે? નથી જ. એક ક્ષણમાં આત્માની સુલતાની થાય છે, રાજા રંક બને રંક રાજા થાય છે. પૃથ્વી ઉપર પગ પણ નહિ ધારણ કરતા રાજા-મહારાજા-શેઠ શાહુકાર, ખેડૂત બની ખેતર ખેડતાખેડાવતા માલુમ પડે છે. જે અધિકારીઓ પિતાની સત્તાથી બીજાઓને દબાવતા-હઠાવતા, હેરાન પરેશાન કરતા હોય છે. તે ધિક્કારપાત્ર બને છે. પિતાની શારીરિક શક્તિ વધારવા ખાતર રસાયણાદિક ખાય છે તે વિલાસીજનોને વિનાશ થતા માલુમ પડે છે અને હેરાન પરેશાન થએલ છે. પુનઃ
સાધન સામગ્રીને ગે સત્તાધારી અધિકારી બને છે. આવા આવા વિવિધ બનાવ બનતા જાય છે ત્યાં તમારા ઘાટ-પ્રપંચ-દગા વિગેરે કારગત થશે નહિ !
For Private And Personal Use Only