________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દહી તે એવું છે કે, જેમ જેમ અધિકાધિક ખાશે તેમ તેમ નિદ્રા પણ ઓછી થશે. સઘળા ઉપદ્રવે નાશ પામશે. માટે દુન્યવી દહીમાંથી પ્રીતિને દુર કરી, આત્મજ્ઞાનરૂપી અનુભવમાં ચિત્તને ચટાડે. હવે અનુભવની લહેરી આવતાં આત્મજ્ઞાનીએ શું કર્યું ! તે દર્શાવતાં સદ્ગુરૂ ઉપદિશે છે કે, જડ, ચેતન તથા સંગ સંબંધે મળેલ સાધન સામગ્રીના અને સ્વરૂપ સંબધે રહેલા આત્મિક ગુણોની બરોબર સમજણના વેગે, ભેદદષ્ટિ, વિવેક રૂપ તૃતીય લેચન ઉત્પન્ન થયું. તે દ્વારા, તે રૂપી લાકડી વડે દહીની મટકીને તોડી, તેમાંથી તત્ત્વજ્ઞાનનો આસ્વાદ લેવા માંડ્યો. એટલે સંગ સંબંધે પ્રાપ્ત થએલ પદાર્થોમાંથી વૃત્તિઓને હઠાવી, આત્માના ગુણમાં, તત્ત્વજ્ઞાનમાં લગની લગાડી લહેર કરવા લાગ્યા. આવી લહેરી કયારે આવી વસે કે,
જ્યારે ગીવણીના ગીરધારી બની, તેમાં પ્રેમ લગાડે ત્યારે જ. ગીર્વાણ એટલે પ્રાકૃત, સંસ્કૃતની ભાષાને રીતસર ભણી, આગમને અભ્યાસ સારી રીતે થાય છે ત્યારે, ગીર્વાણીના ધારી બનાય છે. આ મુજબ સમગ્રજ્ઞાનીએ ભાખ્યું છે. કૃષ્ણ મહારાજા તે, મેટી કેટીશિલા ઉપાડી, ગિરિધારી બન્યા. અને ગાયનું રક્ષણ કર્યું. તમે ધારશે તે ગીર્વાણને ધારણ કરવા પૂર્વક, પાંચ ઈન્દ્રિ કે જે, કોઇ કામાદિમાં સપડાઈ છે. તેઓને હઠાવી જનેશ્વરભાષિત ગુણાનુરાગ, સદ્વર્તનમાં તેને જેડી રક્ષણ કરી શકશે. માટે સત્ય ગીર્વાણીના ધારક બની, આત્મધ્યાનને
For Private And Personal Use Only