________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ વિગેરેથી અધિક છે. તથા હે આત્મન તને સહકાર આપનાર અને સંભાળ રાખનાર સુમતિ રૂપી પાલક માતા છે. કૃષ્ણ મહારાજને તે યશોદા માતા પાલનાર હતા. પરંતુ તે માતા શત્રુઓને હઠાવનાર ન હતી. પરાજ્ય કરનાર તે સુમતિમાતા હતી. અએવ તેના આધારે તે વિરોધીઓને પરાસ્ત કરવા સમર્થ બન્યા. આવી સુમતિ માતા તારી પાસેથી દૂર નથી જ. પરંતુ જે તું એને આદર કરે, સન્માનસત્કાર કરે છે, તે શત્રુઓ, વિરોધીઓને પરાસ્ત કરે. અને સ્વસંપત્તિનું રક્ષણ કરવા સમર્થ બને. માટે તે સુમતિમાતા, તારી આધિ, વ્યાધિ અને ઉપાધિને પણ દૂર ખસેડશે. આવી માતા ભાગ્યશાલી હોય તેને મળે છે. માટે તે માતાને અનાદર કરીશ નહિ. તેથી કર્મોજન્ય અહંકાર, આસક્તિ સ્વયમેવ ટળી જશે. અને સદ્વિચાર અને વિવેકરૂપી નંદ, આનંદને સુજાત કહેવાઈશ. શ્રીકૃષ્ણ તો નંદના પાલક પિતાના સુજાત, સુજાયા તરીકે પ્રસિદ્ધ થયા. પરંતુ નંદના સત્ય પુત્ર હતા નહિ. તેથી ગોકુલને ત્યાગ કરી, મથુરામાં આવ્યા. અને સ્વપિતા અને દેવકી માતાને કંસ રાજાએ નજરકેદમાં રાખેલા હોવાથી આ પરાધીનતામાંથી મુક્ત કરાવ્યા. ખરેખર, સાચા પુત્ર તે,મેહ, રાગ, દ્વેષ રૂપી કંસ, કર્મ રાજાના બંધનમાં પરાધીન બનેલ એવા ક્ષમા, અને વિવેકરૂપી માત, પિતાને મુક્ત કરાવે છે. માટે હે ચેતનજી ? તારી માતા અને વિવેક જે મહાદિકના બંધનમાં રહેલા છે. તેઓને આત્મજ્ઞાન, ધ્યાનના ગે
For Private And Personal Use Only